<?xml version="1.0" encoding="UTF-8"?><!-- generator="wordpress.com" -->
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	>

<channel>
	<title>વીજ્ઞાન &amp;laquo; WordPress.com Tag Feed</title>
	<link>http://wordpress.com/tag/વીજ્ઞાન/</link>
	<description>Feed of posts on WordPress.com tagged "વીજ્ઞાન"</description>
	<pubDate>Sun, 06 Jul 2008 13:32:26 +0000</pubDate>

	<generator>http://wordpress.com/tags/</generator>
	<language>en</language>

<item>
<title><![CDATA[સતોડીયું]]></title>
<link>http://parimiti.wordpress.com/?p=73</link>
<pubDate>Sat, 21 Jun 2008 22:04:08 +0000</pubDate>
<dc:creator>Chirag</dc:creator>
<guid>http://parimiti.wordpress.com/?p=73</guid>
<description><![CDATA[સતોડીયું - ચીરાગ પટેલ Jun 21, 2008
નાનપણમાં ]]></description>
<content:encoded><![CDATA[<p><strong>સતોડીયું - ચીરાગ પટેલ Jun 21, 2008</strong></p>
<p>નાનપણમાં 'સતોડીયું' તો ઘણાં બધાં રમ્યાં હશે! સાત નાના ઠીકરાં એક પર એક મુકીને પછી આપણે બે ટીમ પાડીને દડાથી સતોડીયું તોડવાની રમત રમતાં હતાં. પ્રકૃતી પણ સતોડીયાનો ખેલ બહુ બધી રીતે રમી રહી છે. આજે, આપણે આ બાબતે થોડુંક અવલોકન કરીએ.</p>
<p>થોડી ગણીતની ગમ્મતથી શરુઆત કરીએ. અપુર્ણાંકની રીતે 1 ને 7 વડે ભાગો. શો જવાબ આવ્યો? 0.142857142857... હવે, 2 ને 7 વડે ભાગો તો! 0.285714285714... આ જ પ્રક્રીયા 3, 4, 5, 6 પર કરીએ તો શું જોવા મળે છે?</p>
<p>1 / 7 = 0.142857<br />
2 / 7 = 0.285714<br />
3 / 7 = 0.428571<br />
4 / 7 = 0.571428<br />
5 / 7 = 0.714285<br />
6 / 7 = 0.857142</p>
<p>હવે, આ લીંક પરની આકૃતી જુઓ: <a href="http://en.wikipedia.org/wiki/Image:Enneagram.svg">http://en.wikipedia.org/wiki/Image:Enneagram.svg</a></p>
<p>અહીં એનીયાગ્રામ ( Enneagram ) માં 1 થી 9 સુધીના અંકોને એકસરખા ખુણે લખવામાં આવ્યાં છે અને એમાં 1, 4, 2, 8, 5, 7 એ ક્રમમાં જોડવાથી બનતો આકાર દર્શાવવામાં આવ્યો છે. શરુઆત જો 1થી કરો તો 1/7 નો જવાબ મળશે. શરુઆત જો 2થી કરો તો 2/7 નો જવાબ મળશે. એ જ પ્રમાણે, 4થી શરુઆત કરતાં 3/7 વગેરેનો જવાબ મળશે. બાકી રહેલાં 3, 6, અને 9 ને જોડતો ત્રીકોણ જુઓ. આ એનીયાગ્રામ એ સાત તત્વો કે સાત ચક્રોનું પ્રતીનીધીત્વ કરે છે. એને થોડા વીસ્તારથી સમજીએ.</p>
<p>[ ચક્ર == બીજ == સ્થાન == તત્વ] નો કોઠો:<br />
મુળાધાર - લં - કરોડનો સહુથી નીચેનો છેડો - પૃથ્વી<br />
સ્વાધીષ્ઠાન - વં - જનનાંગના છેડે - જળ<br />
મણીપુર - રં - નાભી - અગ્ની<br />
અનાહત - યં - છાતી મધ્યે - વાયુ<br />
વીશુધ્ધ - હં - ગળાના છેડે - આકાશ -<br />
આજ્ઞા - ૐ - ભ્રુકુટી મધ્યે - માનસ<br />
સહસ્ત્રાર - ૐ - શીખામુળ - મહત</p>
<p>મન જ્યારે આ જુદા જુદા તત્વો/ચક્રોમાં ઉપર ઉઠે છે ત્યારે એને જુદા જુદા આધ્યાત્મીક અનુભવો થતાં હોય છે. આ ઉપરાંત, નાકની નીચે બ્રહ્મ ગ્રંથી, પેટની શરુઆતના ભાગે વીષ્ણુ ગ્રંથી, અને મુળાધાર-સ્વાધીષ્ઠાનની વચ્ચે રુદ્ર ગ્રંથી હોય છે. એમને અનુક્રમે ઐઁ, હ્રીઁ, ક્લીઁ એ બીજમંત્રોથી કાર્યરત કરવામાં આવે છે. આપણે આખો મંત્ર જોઈએ તો સહસ્ત્રાર - બ્રહ્મ ગ્રંથી - વીષ્ણુ ગ્રંથી - રુદ્ર ગ્રંથી - મુળાધાર - સ્વાધીષ્ઠાન - મણીપુર - અનાહત - વીશુધ્ધ - આજ્ઞા એ ક્રમમાં "ૐ ઐઁ હ્રીઁ ક્લીઁ લઁ વઁ રઁ યઁ હઁ ૐ" એવા જાપથી ધ્યાન કરવામાં આવે છે. મુળમંત્ર કે નવાર્ણ મંત્રમાં પણ આ જ તત્વો/ચક્રોનું નીરુપણ છે - "ૐ ઐઁ હ્રીઁ ક્લીઁ ચામુંડાયૈ વીચ્ચે" એ રીતે ધ્યાન કરવામાં આવે છે. </p>
<p>કુદરત પ્રકાશીય કે ક્વૉંટમ ઘટનાઓમાં પણ સાત રંગોની રંગોળી પુરે છે. મેઘધનુષ, પ્રીઝમ વગેરેમાં જામ્બલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી, રાતો રંગ દેખાય છે. ઈલેક્ટ્રોનની સ્પેક્ટ્રલ લાઈનમાં પણ આ સાત રંગોનાં જ સપનાં હોય છે! પૃથ્વી પર સાત ખંડ (એશીયા, આફ્રીકા, યુરોપ, ઉત્તર અમેરીકા, દક્ષીણ અમેરીકા, ઑસ્ટ્રેલીયા, એંટાર્કટીકા), જ્યોતીષમાં મુખ્ય સાત ગ્રહો, વગેરેમાં પણ સાતનું જ સામ્રાજ્ય છે. અઠવાડીયાના વાર પણ સાત (રવી, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શની) છે. (આપની જાણ ખાતર, મારો જન્મ પણ 7મી જાન્યુઆરી છે, એટલે મને 7 પ્રત્યે વીશેષ અનુરાગ હોવો વ્યાજબી છે ને...)</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[જાગ્યા પછી શું?]]></title>
<link>http://parimiti.wordpress.com/?p=71</link>
<pubDate>Sat, 24 May 2008 18:38:43 +0000</pubDate>
<dc:creator>Chirag</dc:creator>
<guid>http://parimiti.wordpress.com/?p=71</guid>
<description><![CDATA[જાગ્યા પછી શું? - ચીરાગ પટેલ May 22, 2008
મેં ]]></description>
<content:encoded><![CDATA[<p>જાગ્યા પછી શું? - ચીરાગ પટેલ May 22, 2008</p>
<p>મેં 'જાગો' એ મથાળા હેઠળ પર્યાવરણનાં ભયસુચક સંકેતો તરફ અછડતો નીર્દેશ કર્યો હતો (<a href="http://parimiti.wordpress.com/2008/03/04/jaago/">http://parimiti.wordpress.com/2008/03/04/jaago/</a>). આ લેખના અતીથીઓને 'જાગ્યા' પછી શું એ પ્રશ્ન ઉગ્યો હતો. આનો જો કે 'તુંડે તુંડે મતિર્ભીન્ના' ન્યાયે, જવાબ વ્યક્તીગત જુદો રહેવાનો. મારી દ્રષ્ટીએ આ જવાબ આપવા પ્રયત્ન કરું છું. અને, તમે એ પ્રમાણે તમારા તારણ કે જવાબ સુધી પહોંચી શકો છો.</p>
<p>માણસે પ્રગતીની આન્ધળી દોડમાં ભાન ભુલીને ટુંકાગાળાના જ લાભ અત્યાર સુધી લીધાં કર્યાં છે. પ્રગતીનો ઈનકાર જરાય ના હોઈ શકે. પરંતુ, એમાં પ્રમાણભાન ભુલી જવાથી કેવા દુઃષ્પરીણામ આવે એ સત્ય આપણને કુદરત બહુ જ કડવી દવા રુપે પાઈ રહી છે. </p>
<p>આપણી આખી સૃષ્ટી એક ચક્રમાં સંકળાયેલી છે. એક જીવનું અસ્તીત્વ બીજા જીવ પર નીર્ભર છે (જીવો જીવસ્ય ભોજનમ). આ સંતુલન ખુબ જ નાજુક દોરે જોડાયેલું છે. આ કાચા તાંતણાને મનુષ્ય કાયમ છેડતો આવ્યો છે. દુરનાં ભુતકાળમાં સૃષ્ટી પર કોઈને કોઈ પ્રાણી આધીપત્ય સ્થાપતું જ રહ્યું છે, અને કુદરતને છ્ંછેડવાની સજારુપે પોતાનાં અસ્તીત્વનું બલીદાન આપતું આવ્યું છે. માનવી પણ એ જ રસ્તે દોડી રહ્યો છે.</p>
<p>'ચિત્રલેખા' સાપ્તાહીકના 26 મે, 2008ના અંકમાં આદરણીય ગુણવંત શાહના 'કાર્ડિયોગ્રામ' લેખમાળામાંથી અવતરણ ટાંકું છું. </p>
<p>"આજે નહીં ને કાલે કે પરમ દીવસે આપણે આપણી જીવનશૈલી બદલવી પડશે. વીદ્યુતનો, કાગળનો, ગૅસનો અને પાણીનો બગાડ અટકાવવો પડશે. ઉર્જા કંઈ આપણા પરમ પુજ્ય પીતાશ્રીની માલીકીની નથી. પૈસા ખર્ચી શકે એવા માલદાર લલ્લુને ઉર્જાનો બગાડ કરવાની છુટ નથી. સ્વીચ ઑફ કરવામાં કેટલી તકલીફ પડે? જે ઓરડામાં કોઈ નથી એવા ઓરડામાં પણ એસી શા માટે ચાલ્યા કરે? જ્યારે પ્રધાનનું વીજળીબીલ સરકાર ભરતી હોય ત્યારે કોના ફાધરની દીવાળી?"</p>
<p>"સ્વામી સ્વચ્છતાનન્દજી પોતાના ઉપદેશમાં નાગરીકોને સ્વચ્છતા એ નવી ધાર્મીક્તા છે એવું ક્યારે સમજાવશે?"</p>
<p>"આપણી બગાડવૃત્તી અને લાપરવાહી હવે ભુતકાળની ચીજ બની જવી જોઈએ, કારણ કે પૃથ્વીને આપણે કંઈ માતા-પીતા પાસેથી વારસામાં નથી મેળવી. એ તો આપણને આપણાં સંતાનો તરફથી ઉછીની મળી છે. (ટાઈમ મેગેઝીન, ન્યુ યોર્ક, 3 ડીસેમ્બર, 1990)"</p>
<p>આ ઉપરાંત હું એક સામાન્ય કામગીરી પ્રત્યે ધ્યાન દોરવા માંગું છું. પૃથ્વીના સંતુલન માટે અને પ્રાણીઓના ખોરાક માટે વનસ્પતી એક ખુબ જ જરુરી અને પાયાનું અંગ છે. આપણે વૃક્ષોનું જે હદે નીકન્દન કાઢી રહ્યાં છીએ, એ ઘણી ઘણી જ ચીંતાજનક બાબત છે. </p>
<p>તો શું કરશો? જે લોકો ઝાડ કાપવા માંગે છે, તેમને સમજાવો. જો વૃક્ષનો થોડોક ભાગ કાપવાથી કામ ચાલતું હોય તો એટલું જ કરો. નવા નવા વૃક્ષો ઉછેરો અને એનું સંવર્ધન કરો. આપણી આસપાસ ઉગતાં વૃક્ષોની જાળવણી કરો. ગન્દકીને કટ્ટર ધાર્મીક્તાની રીતે દુર રાખો. દરેક પ્રસંગે એક વૃક્ષ ઉગાડીને એને સાચવવાનું પ્રણ બનાવો. જે દીવસે વૃક્ષની જાળવણી ના કરી શક્યા હો એ દીવસે પ્રાર્થના કરવાથી દુર રહો.</p>
<p>અમેરીકા સદભાગી છે કે ત્યાં વનસ્પતી અને પર્યાવરણની જાળવણી કરનારા કડક કાયદા બનાવી શક્યા છે. (ભલે પછી, દુનીયામાં સહુથી વધુ બગાડ અમેરીકનો કરતા હોય. હકીકત છે કે, એમેઝોન અને કોંગોના વનપ્રદેશની જેમ અમેરીકામાં રહેઠાણની આસપાસ બીલ્ડર વૃક્ષો ઉગાડી અને ઉછેરી શક્યા વગર ઘર નથી વેચી શકતો.) ભારતનું દુર્ભાગ્ય છે કે આવા કોઈ કાયદા નથી. અને લોકોને તો પર્યાવરણ અને ગન્દકીની જાણે પડી જ નથી. માત્ર બાહ્ય શુધ્ધીના દેખાડાથી જ આપણી ધાર્મીક્તા પોષાય છે. દરેક બાબતમાં સરકારનો દોષ જોવાને બદલે આપણે કોઈ નક્કર કામ કરી શકીશું?</p>
<p>--- આજનો લેખ મારા વડોદરાનાં ઘરને આંગણે ઉછરી રહેલાં વૃક્ષોને અર્પણ કરું છું. મારા સદભાગ્યે હું બાળપણનો મોટો સમય વાંસદા જેવા ગાઢ વનરાજીથી આચ્છાદીત સ્થળમાં વીતાવી શક્યો છું. અમારા ઘરને 'ઉપવન' બનાવવામાં મારા સદ્ગત પપ્પાની દુરન્દેશી કામ કરી ગઈ હતી.</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[EPR પૅરેડૉક્સ]]></title>
<link>http://parimiti.wordpress.com/?p=68</link>
<pubDate>Sat, 05 Apr 2008 00:11:55 +0000</pubDate>
<dc:creator>Chirag</dc:creator>
<guid>http://parimiti.wordpress.com/?p=68</guid>
<description><![CDATA[EPR પૅરેડૉક્સ - ચીરાગ પટેલ Apr 04, 2008
EPR paradox એક સ]]></description>
<content:encoded><![CDATA[<p><strong>EPR પૅરેડૉક્સ</strong> - ચીરાગ પટેલ Apr 04, 2008</p>
<p><strong>EPR paradox</strong> એક સંશોધન પત્ર તરીકે બહોળી પ્રસીધ્ધી પામ્યો છે. એને લખનાર પ્રસીધ્ધ વૈજ્ઞાનીકો <strong>આલ્બર્ટ આઈંસ્ટાઈન</strong> (<strong>Einstein</strong>), <strong>બૉરીસ પોડોલ્સ્કી</strong> (<strong>Podolsky</strong>) અને <strong>નૅથન રોઝેન</strong> (<strong>Rosen</strong>)નાં પ્રથમ અક્ષરોને સાંકળીને બનતાં ત્રણ અક્ષરો EPR નામે પ્રચલીત છે. <strong>પૅરેડૉક્સ</strong> એટલે <strong>વીરાધાભાસ</strong> અથવા <strong>અસંગતતા</strong> અથવા <strong>તાર્કીક વીસંગતતા</strong>. એક રાજાએ પોતાના ગામમાં એક વાર ઢંઢેરો પીટ્યો કે, "આજ પછી ગામમાં કોઇ પણ વ્યક્તીએ જાતે હજામત ના કરવી, અને માત્ર ગામનાં વાળન્દ પાસે જ કરાવવી." આ ઢન્ઢેરા મુજબ પેલો વાળન્દ પોતાના વાળ કાપી શકે? આવી તાર્કીક વીસંગતતા માટે પૅરેડૉક્સ શબ્દ-પ્રયોગ થાય છે.</p>
<p>EPR પૅરેડૉક્સ <strong>ક્વોંટમ વીજ્ઞાન(Quantum physics)</strong>માં 1935ની સાલ સુધીમાં રહેલી વીસંગતા તરફ અંગુલીનીર્દેશ કરે છે. પછી તો, આ સંશોધનપત્ર એક નવા જ ખ્યાલને માટે નીમીત્ત બન્યો. આજે આપણે માત્ર આ પત્રમાં રહેલી માહીતીને સરળ ઉદાહરણથી સમજવા પ્રયત્ન કરીશું.</p>
<p>એક સીધી રેખામાં અમુક અંતરની કલ્પના કરો. ધારો કે, 10 મીટર. એના એક છેડે કનીશ્કાને બેઠેલી કલ્પો અને બીજે છેડે ખ્યાતીને બેઠેલી કલ્પો. ધારો કે, કનીશ્કા પાસે એક <strong>લોહચુમ્બક</strong> (<strong>magnet</strong>) હાથમાં પકડેલું છે. આ ચુમ્બક ધારો કે અંગ્રેજી C આકારનું છે, અને કનીશ્કાએ એની ખુલ્લી બાજુને નીચે તરફ રહે એ રીતે પકડેલું છે. એટલે કે, Cની પીઠ આકાશ તરફ રહે એમ પકડ્યું છે. હવે ધારો કે, ખ્યાતી પાસે ઈલેક્ટ્રોનનો ગતીપથ નોંધી શકાય એવો કૅમેરા છે. વળી, ધારો કે, 10 મીટરની કાલ્પનીક રેખાનાં મધ્યબીન્દુએ ઈલેક્ટ્રોનનું ઉદ્ગમસ્થાન છે. અને ઉદ્ગમ પણ પાછું એવું છે કે, એમાંથી માત્ર <strong>ઈલેક્ટ્રોન</strong> જોડકાં જ ઉદ્ભવે છે. ક્વૉંટમ સીધ્ધાંત મુજબ, એક જ ઉદ્ગમમાંથી ઉદ્ભવતાં કણો વીરુધ્ધ દીશામાં અને સરખી ઉર્જાથી ગતી કરે. એટલે, આપણે એવું ધારીએ કે, એક સાથે નીકળતાં જોડકાંમાંથી એક ઈલેક્ટ્રોન કનીશ્કાએ હાથમાં પકડેલાં ચુમ્બકની દીશામાં જાય છે, તો એ જ સમયે બીજો ઈલેક્ટ્રોન ખ્યાતીની દીશામાં જશે. બન્ને એક જ સમયે કનીશ્કા કે ખ્યાતી સુધી પહોંચશે.</p>
<p>હવે, કમાલ જોઈએ. ઈલેક્ટ્રોનનો એક ગુણધર્મ છે, વીજચુમ્બકીયબળોની અસર તળે ગતીપથ બદલવાનો. કનીશ્કાએ પકડેલાં ચુમ્બકમાંથી પસાર થવાની સાથે જ સીધી રેખામાં આવી રહેલો ઈલેક્ટ્રોન જમણી બાજુ પલટાઈ જશે. અને લો, બીજી બાજુ જ્યારે ખ્યાતી ફોટો પાડે છે ત્યારે, એ બાજુનો ઈલેક્ટ્રોન એ જ સમયે ડાબી બાજુ વળી જાય છે! હજી ક્લાઈમૅક્સ હવે આવે છે. એવું માની લઈએ કે, પ્રયોગની શરુઆતમાં દરેક સ્થીતી વીશેની માહીતી અસ્તીત્વમાં હતી - જેમ કે, કનીશ્કા અને ખ્યાતીનું અંતર અને દીશા, ચુમ્બકની સ્થીતી, વગેરે. પણ, ધારો કે, ઈલેક્ટ્રોનનું એક નવું જોડકું ઉદ્ગમમાંથી નીકળી ચુક્યું છે, અને કનીશ્કા એકાએક ચુમ્બક્ની પીઠને ફેરવીને ઉભી ગોઠવે છે (90 અંશની ફેરબદલ). તો આ સંજોગોમાં કનીશ્કાના ચુમ્બક પાસે આવેલો ઈલેક્ટ્રોન જમીન તરફની દીશામાં ફંટાઈ જશે! અને ખ્યાતીનો કૅમેરો જોશે કે એની તરફનો ઈલેક્ટ્રોન આકાશની દીશામાં ફંટાઈ જાય છે!!!</p>
<p>માની શકાય છે? પ્રાયોગીક રીતે આ બાબત ઘણાં વૈજ્ઞાનીકોએ સાબીત કરી છે. પણ આવું કેવી રીતે બની શકે? શું ઈલેક્ટ્રોન એકબીજા સાથે માહીતીની આપ-લે કરે છે? આ આપ-લે માટે એમણે પ્રકાશની ગતી કરતાં વધુ ઝડપે માહીતી મોકલવી પડે, જે પદાર્થનાં કણ માટે શક્ય નથી. તો શું ઈલેક્ટ્રોન ભુત છે? ના. વીચારજો. ફરી ક્યારેક આ બાબતે ચર્ચા કરીશું. EPR સંશોધનપત્રે એક નવી જ દીશાનાં દ્વાર ખોલી આપ્યાં હતાં.</p>
<p>વધુ માહીતી: <a href="http://en.wikipedia.org/wiki/EPR_paradox">http://en.wikipedia.org/wiki/EPR_paradox</a></p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[મુદ્રા]]></title>
<link>http://parimiti.wordpress.com/?p=55</link>
<pubDate>Mon, 18 Feb 2008 03:49:27 +0000</pubDate>
<dc:creator>Chirag</dc:creator>
<guid>http://parimiti.wordpress.com/?p=55</guid>
<description><![CDATA[મુદ્રા - ચીરાગ પટેલ Feb 17, 2008
1. જ્ઞાન મુદ્રા]]></description>
<content:encoded><![CDATA[<p><strong>મુદ્રા - ચીરાગ પટેલ Feb 17, 2008</strong></p>
<p><strong>1. જ્ઞાન મુદ્રા</strong></p>
<p><em>પધ્ધતી</em>: પહેલી આંગળીનું ટેરવું અંગુઠાના ટેરવા સાથે અડાવેલું રાખો. બાકીની આંગળીઓ સીધી રાખો.</p>
<p><em>વીશેશતા</em>: મગજની કાર્યક્ષમતામાં વધારો કરે છે. પીચ્યુટરી અને એંડોક્રીન ગ્રંથીઓને વ્યવસ્થીત રાખે છે. એકાગ્રતા વધારે છે અને અનીદ્રાપણું દુર કરે છે. માનસીક રોગ, ઉન્માદ, ક્રોધ અને હતાશાને દુર કરે છે.</p>
<p><em>સમય</em>: ગમે તે સમયે, ગમે તે સ્થીતીમાં કરી શકાય છે.<br />
<a href="http://parimiti.wordpress.com/files/2008/02/1.jpg" title="1.jpg"><img src="http://parimiti.wordpress.com/files/2008/02/1.thumbnail.jpg" alt="1.jpg" /></a><br />
<strong>2. પૃથ્વી મુદ્રા</strong></p>
<p><em>પધ્ધતી</em>: ત્રીજી આંગળીનું ટેરવું અંગુઠાના ટેરવા સાથે અડાવેલું રાખો. બાકીની આંગળીઓ સીધી રાખો.</p>
<p><em>વીશેશતા</em>: શારીરીક નબળાઈ દુર કરે છે. વજનમાં વધારો કરે છે. ત્વચાના સૌન્દર્યમાં વધારો કરે છે. શરીરને કાર્યક્ષમ રાખે છે.</p>
<p><em>સમય</em>: ગમે તે સમયે કરી શકાય છે.<br />
<a href="http://parimiti.wordpress.com/files/2008/02/2.jpg" title="2.jpg"><img src="http://parimiti.wordpress.com/files/2008/02/2.thumbnail.jpg" alt="2.jpg" /></a><br />
<strong>3. વરુણ મુદ્રા</strong></p>
<p><em>પધ્ધતી</em>: ચોથી આંગળીનું ટેરવું અંગુઠાના ટેરવા સાથે અડાવેલું રાખો. બાકીની આંગળીઓ સીધી રાખો.</p>
<p><em>વીશેશતા</em>: પાણીના અભાવે થતી બીમારીથી બચાવે છે. પેટના દર્દોમાં રાહત આપે છે. સ્નાયુના સંકોચનમાં રાહત આપે છે.<br />
<em> </em></p>
<p><em>સમય</em>: ગમે તે સમયે કરી શકાય છે.<br />
<a href="http://parimiti.wordpress.com/files/2008/02/3.jpg" title="3.jpg"><img src="http://parimiti.wordpress.com/files/2008/02/3.thumbnail.jpg" alt="3.jpg" /></a><br />
<strong>4. વાયુ મુદ્રા</strong></p>
<p><em>પધ્ધતી</em>: પહેલી આંગળીનાં ટેરવાને અંગુઠાના મુળ સાથે અડાવીને, અંગુઠાને એ આંગળી પર મુકીને દબાવો. બાકીની આંગળીઓને સીધી રાખો.</p>
<p><em>વીશેશતા</em>: વાયુના અસંતુલનથી ઉભા થતાં રોગો સામે રક્ષણ આપે છે. ર્હ્યુમેટીઝમ, આર્થ્રાઈટીસ, ગાઉટ, લકવો જેવા રોગો દુર કરે છે. સર્વાઈકલ સ્પોંડીલાઈસીસ, ચહેરાનો લકવો, ગરદનની અકડનમાં રાહત આપે છે. પેટમાં ગેસની તકલીફ દુર કરે છે.</p>
<p><em>સમય</em>: 45 મીનીટ સુધી કરવાથી 12-24 કલાકમાં ઉપર વર્ણવેલ પરીસ્થીતીમાં આરામ આપે છે. 2 મહીના સુધી નીયમીત કરવાથી, ખુબ જ ફાયદો થાય છે.<br />
<a href="http://parimiti.wordpress.com/files/2008/02/4.jpg" title="4.jpg"><img src="http://parimiti.wordpress.com/files/2008/02/4.thumbnail.jpg" alt="4.jpg" /></a><br />
<strong>5. શુન્ય મુદ્રા</strong></p>
<p><em>પધ્ધતી</em>: બીજી આંગળીને વાળીને સીધી રાખો, અને એના ઉપર અંગુઠો રાખી દબાવો. બાકીની આંગળીઓ સીધી રાખો.</p>
<p><em>વીશેશતા</em>: શરીરની નબળાઈ દુર કરે છે. કાનનો દુઃખાવો 4-5 મીનીટમાં દુર કરે છે. જન્મજાત ના હોય એવા બહેરાપણામાં અને મન્દબુધ્ધીને રાહત આપે છે.</p>
<p><em>સમય</em>: રોજ 40 થી 60 મીનીટ કરો.<br />
<a href="http://parimiti.wordpress.com/files/2008/02/5.jpg" title="5.jpg"><img src="http://parimiti.wordpress.com/files/2008/02/5.thumbnail.jpg" alt="5.jpg" /></a><br />
<strong>6. સુર્ય મુદ્રા</strong></p>
<p><em>પધ્ધતી</em>: ત્રીજી આંગળીને વાળીને સીધી રાખો, અને એના ઉપર અંગુઠો રાખી દબાવો. બાકીની આંગળીઓ સીધી રાખો.</p>
<p><em>વીશેશતા</em>: થાયરોઈડ ગ્રંથીને વ્યવસ્થીત રાખે છે. વજન ઘટાડવામાં અને કોલેસ્ટેરોલને ઘટાડવામાં ઉપયોગી છે. અધીરાઈપણું દુર કરે છે. અપચાની તકલીફને દુર કરે છે.</p>
<p><em>સમય</em>: રોજ બે વખત 5 થી 15 મીનીટ કરો.<br />
<a href="http://parimiti.wordpress.com/files/2008/02/6.jpg" title="6.jpg"><img src="http://parimiti.wordpress.com/files/2008/02/6.thumbnail.jpg" alt="6.jpg" /></a><br />
<strong>7. પ્રાણ મુદ્રા</strong></p>
<p><em>પધ્ધતી</em>: ત્રીજી અને ચોથી આંગળીનાં ટેરવા સાથે અંગુઠાનું ટેરવું અડાવેલું રાખો. બાકીની આંગળીઓ સીધી રાખો.</p>
<p><em>વીશેશતા</em>: કાર્યક્ષમતા વધારે છે. થાક અને વીટામીનના અભાવને સુધારે છે. આંખોની કાર્યક્ષમતા વધારે છે. આંખના રોગો દુર કરે છે. રોગપ્રતીકારક શક્તી વધારે છે.</p>
<p><em>સમય</em>: ગમે તે સમયે, ગમે તે સ્થીતીમાં કરી શકાય છે.<br />
<a href="http://parimiti.wordpress.com/files/2008/02/7.jpg" title="7.jpg"><img src="http://parimiti.wordpress.com/files/2008/02/7.thumbnail.jpg" alt="7.jpg" /></a><br />
<strong>8. અપાન મુદ્રા</strong></p>
<p><em>પધ્ધતી</em>: બીજી અને ત્રીજી આંગળીનાં ટેરવા સાથે અંગુઠાનું ટેરવું અડાવેલું રાખો. બાકીની આંગળીઓ સીધી રાખો.</p>
<p><em>વીશેશતા</em>: પાચકગ્રંથીઓને સતેજ રાખે છે. ડાયાબીટીસ, હરસ, બન્ધકોશમાં રાહત કરે છે. મળશુધ્ધી લાવે છે.</p>
<p><em>સમય</em>: રોજ 45 મીનીટ કરો.<br />
<a href="http://parimiti.wordpress.com/files/2008/02/8.jpg" title="8.jpg"><img src="http://parimiti.wordpress.com/files/2008/02/8.thumbnail.jpg" alt="8.jpg" /></a><br />
<strong>9. હ્રદય મુદ્રા</strong></p>
<p><em>પધ્ધતી</em>: પહેલી આંગળી વાળીને સીધી રાખો, એના પરથી બીજી અને ત્રીજી આંગળીનાં ટેરવાં અંગુઠાનાં ટેરવાને અડે એ રીતે ગોઠવો. ચોથી આંગળી સીધી રાખો.</p>
<p><em>વીશેશતા</em>: હ્ર્દયરોગમાં 'સોર્બીટેલ' જેવું કામ કરે છે. શરીરમાંથી વાયુ દોશ દુર કરે છે. હ્રદયને મજબુત બનાવે છે.</p>
<p><em>સમય</em>: રોજ 15 મીનીટ બે વખત કરો.<br />
<a href="http://parimiti.wordpress.com/files/2008/02/9.jpg" title="9.jpg"><img src="http://parimiti.wordpress.com/files/2008/02/9.thumbnail.jpg" alt="9.jpg" /></a><br />
<strong>10. લીંગ મુદ્રા</strong></p>
<p><em>પધ્ધતી</em>: બન્ને હાથની આંગળીઓ એકબીજામાં ભીડાવી દો. ડાબો અંગુઠો સીધો રાખો. જમણા હાથની પહેલી આંગળી અને અંગુઠો ડાબા અંગુઠાની આજુબાજુ રહે તેમ ગોઠવો.</p>
<p><em>વીશેશતા</em>: શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે. ફેફસાને મજબુત બનાવે છે. અતીશય ઠંડી અને બ્રોંકાઈટીસ દુર કરે છે. શરીરને બળવાન બનાવે છે.</p>
<p><em>સમય</em>: ગમે ત્યારે કરી શકાય. પુરતી ગરમી ઉત્પન્ન થાય એટલે આ મુદ્રા બન્ધ કરવી.</p>
<p><a href="http://parimiti.wordpress.com/files/2008/02/10.jpg" title="10.jpg"><img src="http://parimiti.wordpress.com/files/2008/02/10.thumbnail.jpg" alt="10.jpg" /></a></p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[અર્થવીસ્તાર: અવતારની લીલા સમાપ્તી]]></title>
<link>http://parimiti.wordpress.com/2007/12/02/%e0%aa%85%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a5%e0%aa%b5%e0%ab%80%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be%e0%aa%b0-%e0%aa%85%e0%aa%b5%e0%aa%a4%e0%aa%be%e0%aa%b0%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b2%e0%ab%80%e0%aa%b2/</link>
<pubDate>Mon, 03 Dec 2007 02:07:05 +0000</pubDate>
<dc:creator>Chirag</dc:creator>
<guid>http://parimiti.wordpress.com/2007/12/02/%e0%aa%85%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a5%e0%aa%b5%e0%ab%80%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be%e0%aa%b0-%e0%aa%85%e0%aa%b5%e0%aa%a4%e0%aa%be%e0%aa%b0%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b2%e0%ab%80%e0%aa%b2/</guid>
<description><![CDATA[અર્થવીસ્તાર: અવતારની લીલા સમાપ્તી - ચી]]></description>
<content:encoded><![CDATA[<p>અર્થવીસ્તાર: અવતારની લીલા સમાપ્તી - ચીરાગ પટેલ Dec 02, 2007</p>
<p>મેં "અવતારની લીલા સમાપ્તી" પર જે કલ્પના લખી હતી, એનો અર્થવીસ્તાર નીચે રજુ કરી રહ્યો છું. દરેક પંક્તી મુળ લેખમાંથી લઈને નીચે એનો અર્થ સમજાવ્યો છે.<br />
-------------------------------<br />
<strong>ઘનઘોર વાદળો.<br />
કાજળઘેરી રાત.<br />
શ્યામ રંગે ઉંઘતુ આકાશ.</strong><br />
કલ્પનાની શરુઆત થાય છે શ્યામલ વાદળો આકાશમાં છવાય છે. કોઈ પણ સમયે મેઘીલ વાદળો એક પ્રકારનો રોમાંસ જન્માવતા હોય છે. એના લાગણી-પ્રવાહથી કોણ અછુતો રહી શકે? અને એવાં શ્યામલ મેઘભરી અમાસની રાત્રીએ પૃથ્વી પરથી આકાશ કેવું ભાસે? જાણે કે, આખું આકાશ શ્યામરંગી ધાબળો ઓઢીને ઉંઘી રહ્યું હોય! એવા સમયે, સીધ્ધ/સંત/અવતાર પુરુષ/સ્ત્રી પોતાનો ક્ષર-દેહ ત્યજીને અક્ષર-પડાવે ગંતવ્ય થાય છે.</p>
<p><strong>શીતળતા બક્ષતો ચન્દ્રમા.<br />
શરમના શેરડા પાડતો સુર્ય.<br />
ટમટમતા તારલા.</strong><br />
થોડી ગતી બાદ, એ આત્મા આકાશને પાછળ છોડીને અવકાશમાં પ્રવેશ કરે છે. ત્યારે તેને શું દેખાય છે? ચન્દ્રનો શીતળ પ્રકાશ એક બાજુ રેલાઈ રહ્યો છે, અને સુર્યનો નારંગી/પીળો પ્રકાશ બીજી બાજુ રેલાઈ રહ્યો છે. સુર્ય જાણે શરમીંદગી અનુભવતો લાગે છે. અવકાશના અનંત વીસ્તૃત પટમાં નાના-નાના અસંખ્ય તારાઓ ટમટમે છે.</p>
<p><strong>ઝબકીને ઝાકળવત જીવતી ઉલ્કાઓ.</strong><br />
અવકાશમાં આગળ ગતી કરતો એ આત્મા ક્ષણાર્ધમાં નાશ પામતી ઉલ્કાઓના સંસર્ગમાં આવે છે.</p>
<p><strong>નવ ગ્રહોથી અનુપમ શોભતી માળા.<br />
ધુમકેતુઓની ધુમ્રસેરોનો પડાવ.</strong><br />
પ્રવાસી આગળ અને આગળ વધતો સુર્યમાળાના છેલ્લા ગ્રહ 'પ્લુટો' કે 'યમ'ને વળોટી રહ્યો છે. એવે વખતે, તે નવ ગ્રહો જાણે કોઈ માળાનાં મણકાં હોય, એવું જોઈ રહ્યો છે. હજુ આગળ વધતાં, તેને 'ઉર્ટ'ના વાદળ તરીકે ઓળખાતા લાખો ધુમકેતુઓનાં સ્થાનનો ભેટો થાય છે. આ વાદળમાંથી કેટલાંય ધુમકેતુ સુર્ય તરફ આકર્ષાઈને લંબવર્તુળીય કક્ષામાં ભ્રમણ શરું કરતા હોય છે.</p>
<p><strong>મનોહારીણી આકાશગંગાનો ઝગમગતો પટ.<br />
અબજો ટન ઓહીયા કરતા કૃષ્ણ-વીવરો.<br />
શક્તીનો મહાવીસ્ફોટ કરતા શ્વેત-વીવરો.</strong><br />
ઉર્ટના વાદળને પાર કરતાં જ, પ્રવાસી બાહ્યાવકાશમાં પ્રવેશે છે. વાહ, કેવો અદ્ભુત નઝારો! કેટકેટલી આકાશગંગાઓ તેને જોવા મળે છે. ક્યાંક-ક્યાંક આજુબાજુના પદાર્થો (સુર્ય જેવા તારાઓ)ને નીગળી જતાં કૃષ્ણ-વીવરો (બ્લેક હોલ) તે જુએ છે. ઘણી જગ્યે તો આ કૃષ્ણ-વીવર અને શ્વેત-વીવર (વ્હાઈટ હોલ) જોડાયેલાં બોગદા જેવા ભાસે છે. શ્વેત-વીવરો, કૃષ્ણ-વીવરોથી ઉલટું એટલે કે, નવાં-નવાં પદાર્થોને જન્મ આપવાનું કામ કરે છે. જાણે કે, પ્રચંડ ઉર્જાનાં સ્ફોટ થતાં હોય એવું જગત ભાસી રહ્યું છે.</p>
<p><strong>ગુરુત્વાકર્ષણની ચાદરથી બન્ધાયેલુ વીશ્વ.</strong><br />
આખું બ્રહ્માંડ ગુરુત્વાકર્ષણની અનંત અંતર સુધી વીસ્તૃત એવી અદ્રશ્ય ચાદરથી ઝીલાયેલું હોય તેવું લાગે છે.</p>
<p><strong>શુન્યમા અનુભવાતી સુક્ષ્મ ઉષ્ણતા.</strong><br />
આપણે સેલ્સીયસ કે ફેરનહાઈટમાં તાપમાન માપીએ છીએ. પરંતુ, વૈજ્ઞાનીકો કેલ્વીનમાં તાપમાન માપતા હોય છે. સેલ્સીયસ તાપમાનમાં 273 ઉમેરતાં કેલ્વીનમાં આંકડો મળે. જેમ કે, 0 સેલ્સીયસ (પાણીના બરફનું તાપમાન) એટલે 273 કેલ્વીન અને 100 સેલ્સીયસ (પાણીની વરાળ) એટલે 373 કેલ્વીન. 0 કેલ્વીન એટલે કે -273 સેલ્સીયસ તાપમાને પદાર્થમાં રહેલાં સબ-એટમીક પાર્ટીકલ (ઈલેક્ટ્રોન) ગતી કરતાં અટકી જાય છે (પદાર્થની આ અવસ્થાને 'બોઝ-આઈંસ્ટાઈન કંડેંસેટ' કહે છે). વૈજ્ઞાનીકોએ એવું સાબીત કર્યું છે કે, બ્રહ્માંડની પૃષ્ઠભુમી (બેકગ્રાઉંડ)નું તાપમાન 3 કેલ્વીન જેટલું હોય છે, અર્થાત એ ઓછામાં ઓછું આટલું ગરમ (?) હોય છે. આપણા પ્રવાસીને બ્રહ્માંડના શુન્યાવકાશમાં આ ગરમીનો એહસાસ થાય છે!</p>
<p><strong>વણજોયેલુ અનુભવાતુ મહત-તત્વ.</strong><br />
બ્રહ્માંડનો મોટોભાગ મહત-તત્વમાંથી બનેલો છે. પરંતુ, એ તત્વ કોઈ પણ રીતે આપણે જોઈ કે અનુભવી શકતા નથી. આત્માને આ તત્વનો ભાસ થવા લાગે છે. સૃષ્ટીનું રહસ્ય જાણે તેની સમક્ષ પ્રગટ થવા મથી રહ્યું છે.</p>
<p><strong>અફાટ અને વીરાન એકલતામા અસ્તીત્વનો આભાસ.</strong><br />
ક્યાંય પણ કોઈ પણ સાથી વગર, પ્રવાસી આત્મા ગંતવ્ય સ્થાન તરફ ધસમસી રહ્યો છે. તેને પોતે કોણ છે, એનો અનુભવ થવા લાગે છે. મુળ સ્વરુપ તેની આગળ પ્રગટ થવા જ આવી રહ્યું છે.</p>
<p><strong>દુર-સુદુર સમ્ભળાતો ચીર-પરીચીત શાશ્વત શાંતીનો આંતર્નાદ.<br />
હ્રદય વગર અનુભવાતુ આનન્દોર્મીઓનુ દોલન.</strong><br />
શાશ્વત શાંતીમાં પણ અનહદ આનંદ હોય છે. આ જ આનંદ એક પ્રકારના ભાવ જગતને આંદોલીત કરતો હોય છે. આંદોલન જે વમળો જન્માવે છે, એ એક પ્રકારના અવાજનાં કંપનો જેવાં કંપનો જ હોય છે. આ કંપનો હવે આત્મા સાંભળી શકે છે! કોઈ પણ બાહ્ય-ઈન્દ્રીયો વગર આ કંપનો અનુભવાય છે!</p>
<p><strong>મન વગર દેખાતો અસ્તીત્વને ઝમકોરતો સર્વસ્વનો પ્રકાશ.<br />
એક વીશાળ પરપોટા જેવુ દેખાતુ બ્રહ્માંડ.<br />
એને ભેદીને એક સમુદ્રમા ઉઠતી અગનજ્વાળા.<br />
એ અગ્નીશાખાનુ અધોગમન અને ઓમકારના ‘મ’ ધ્વનીનુ શમન.<br />
એક સીધ્ધ, સંત કે અવતારનો ઉદ્ભવ અને ઉદ્દેશ્ય પુર્ણ થતા સ્વગ્રુહે આગમન.</strong><br />
પ્રવાસી હવે બ્રહ્માંડની પરીમીતી ઓળંગવાની તૈયારીમાં છે. તેને થોડે જ દુર સમગ્ર સ્થાનને ભરી દેતો અને સંચાલીત કરતો પ્રકાશ દેખાય છે. એ જ છે સર્વ-શક્તીમાન, પરમ-આત્મા, પ્રભુ, ઈશ્વર, કૃષ્ણ, જગદંબા? આવો આ પ્રકાશ એક વીશાળ સમુદ્ર જેવો ભાસે છે. આ સમુદ્રમાં બ્રહ્માંડ જાણે તરી રહ્યું હોય એમ લાગે છે. આ બ્રહ્માંડની સીમાને ભેદીને હવે પ્રવાસી આત્મા એક અગ્ની-શીખા સો લાગી રહ્યો છે. આ અગ્ની-શાખા પ્રકાશ-સમુદ્રમાં ભળી જાય છે. પ્રવાસનો અંત આવે છે. ઓમકારનાં 'મ'કારનું કંપન પુરું થાય છે. અહીં, એવી કલ્પના કરવામાં આવી છે કે, જ્યારે જ્યારે પ્રકાશ-સમુદ્રમાં 'અ'કારનાં કંપનો જન્મે છે, ત્યારે અનંત-પ્રકાશ-સમુદ્ર પૃથ્વી પર કોઈ સીધ્ધ/સંત/અવતારને જન્મ આપે છે. 'ઉ'કારન કંપનો રહે ત્યાં સુધી એનું જીવન રહે છે. અને 'મ'કારની શરુઆત થતાં જ તે દેહ છોડીને 'મ'કારનાં કંપનો પુરા થતાં જ પાછો અનંતમાં ભળી જાય છે.</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[અવતારની લીલા સમાપ્તી]]></title>
<link>http://parimiti.wordpress.com/2007/11/02/%e0%aa%85%e0%aa%b5%e0%aa%a4%e0%aa%be%e0%aa%b0%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b2%e0%ab%80%e0%aa%b2%e0%aa%be-%e0%aa%b8%e0%aa%ae%e0%aa%be%e0%aa%aa%e0%ab%8d%e0%aa%a4%e0%ab%80/</link>
<pubDate>Sat, 03 Nov 2007 01:41:31 +0000</pubDate>
<dc:creator>Chirag</dc:creator>
<guid>http://parimiti.wordpress.com/2007/11/02/%e0%aa%85%e0%aa%b5%e0%aa%a4%e0%aa%be%e0%aa%b0%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b2%e0%ab%80%e0%aa%b2%e0%aa%be-%e0%aa%b8%e0%aa%ae%e0%aa%be%e0%aa%aa%e0%ab%8d%e0%aa%a4%e0%ab%80/</guid>
<description><![CDATA[અવતારની લીલા સમાપ્તી - ચીરાગ પટેલ
ઘનઘો]]></description>
<content:encoded><![CDATA[<p>અવતારની લીલા સમાપ્તી - ચીરાગ પટેલ</p>
<p>ઘનઘોર વાદળો.<br />
કાજળઘેરી રાત.<br />
શ્યામ રંગે ઉંઘતુ આકાશ.<br />
શીતળતા બક્ષતો ચન્દ્રમા.<br />
શરમના શેરડા પાડતો સુર્ય.<br />
ટમટમતા તારલા.<br />
ઝબકીને ઝાકળવત જીવતી ઉલ્કાઓ.<br />
નવ ગ્રહોથી અનુપમ શોભતી માળા.<br />
ધુમકેતુઓની ધુમ્રસેરોનો પડાવ.<br />
મનોહારીણી આકાશગંગાનો ઝગમગતો પટ.<br />
અબજો ટન ઓહીયા કરતા કૃષ્ણ-વીવરો.<br />
શક્તીનો મહાવીસ્ફોટ કરતા શ્વેત-વીવરો.<br />
ગુરુત્વાકર્ષણની ચાદરથી બન્ધાયેલુ વીશ્વ.<br />
શુન્યમા અનુભવાતી સુક્ષ્મ ઉષ્ણતા.<br />
વણજોયેલુ અનુભવાતુ મહત-તત્વ.<br />
અફાટ અને વીરાન એકલતામા અસ્તીત્વનો આભાસ.<br />
દુર-સુદુર સમ્ભળાતો ચીર-પરીચીત શાશ્વત શાંતીનો આંતર્નાદ.<br />
હ્રદય વગર અનુભવાતુ આનન્દોર્મીઓનુ દોલન.<br />
મન વગર દેખાતો અસ્તીત્વને ઝમકોરતો સર્વસ્વનો પ્રકાશ.<br />
એક વીશાળ પરપોટા જેવુ દેખાતુ બ્રહ્માંડ.<br />
એને ભેદીને એક સમુદ્રમા ઉઠતી અગનજ્વાળા.<br />
એ અગ્નીશાખાનુ અધોગમન અને ઓમકારના ‘મ’ ધ્વનીનુ શમન.<br />
એક સીધ્ધ, સંત કે અવતારનો ઉદ્દેશ્ય પુર્ણ થતા સ્વગ્રુહે આગમન.</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[બ્રહ્માંડના કેટલાં પરીમાણ?]]></title>
<link>http://parimiti.wordpress.com/2007/10/30/%e0%aa%ac%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b9%e0%ab%8d%e0%aa%ae%e0%aa%be%e0%aa%82%e0%aa%a1%e0%aa%a8%e0%aa%be-%e0%aa%95%e0%ab%87%e0%aa%9f%e0%aa%b2%e0%aa%be%e0%aa%82-%e0%aa%aa%e0%aa%b0%e0%ab%80%e0%aa%ae%e0%aa%be/</link>
<pubDate>Tue, 30 Oct 2007 22:02:36 +0000</pubDate>
<dc:creator>Chirag</dc:creator>
<guid>http://parimiti.wordpress.com/2007/10/30/%e0%aa%ac%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b9%e0%ab%8d%e0%aa%ae%e0%aa%be%e0%aa%82%e0%aa%a1%e0%aa%a8%e0%aa%be-%e0%aa%95%e0%ab%87%e0%aa%9f%e0%aa%b2%e0%aa%be%e0%aa%82-%e0%aa%aa%e0%aa%b0%e0%ab%80%e0%aa%ae%e0%aa%be/</guid>
<description><![CDATA[બ્રહ્માંડના કેટલાં પરીમાણ? - ચીરાગ પટે]]></description>
<content:encoded><![CDATA[<p>બ્રહ્માંડના કેટલાં પરીમાણ? - ચીરાગ પટેલ Oct 30, 2007</p>
<p>આપણે કેટલાં પરીમાણો અનુભવી શકીએ છીએ? ત્રણ, ચાર? હા, આપણે ઈંદ્રીયો દ્વારા લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ અને સમયને અનુભવી શકીએ છીએ. અને આપણે આ ચાર પરીમાણમાં વીચારી કે કામ કરી શકીએ છીએ. આપણને આ બાબતે ગણીત ખુબ જ મદદરુપ થાય છે. ઘણાં મીત્રો <strong>સારણી</strong> કે <strong>મેટ્રીક્સ</strong>(<strong>Matrix</strong>) ભણ્યાં હશે. ઘણાં મીત્રોએ ટેંસર એનેલીસીસ પણ કર્યું હશે. આ બધી ગાણીતીક સહાય-સામગ્રી આપણને 1થી શરુ કરીને તમે વીચારી શકો એટલાં <strong>પરીમાણ</strong> (<strong>Dimension</strong>) માટે ગણતરી કરતાં અને માહીતીનું પૃથક્કરણ કરતાં મદદરુપ થાય છે.</p>
<p>ઘણાં બધાં ભૌતીકવીજ્ઞાનીઓ માને છે કે આપણું બ્રહ્માંડ 10 પરીમાણનું બનેલું હોવું જોઈએ. જેમ-જેમ આપણે ઉત્ક્રાંતી કરતાં જઈશું, તેમ-તેમ નવા-નવા પરીમાણો આપણી અનુભુતીમાં ખુલતાં જશે. અને આપણો બ્રહ્માંડને જોવાનો નજરીયો પણ બદલાતો જશે!</p>
<p>એક ઉદાહરણ લઈએ. કોઈ માત્ર દ્વીપરીમાણને અનુભવતો જીવ પૃથ્વીની સપાટી પર 10kmની ત્રણ સરખી બાજુઓ વાળો ત્રીકોણ દોરે તો એ ત્રીકોણ આપણને કેવો દેખાય? માત્ર બે પરીમાણમાં દોરાતાં ત્રીકોણનાં ત્રણે ખુણાઓનો સરવાળો 180 અંશ થાય છે. એટલે પેલા જીવને તો તેનો ત્રીકોણ એકદમ સચોટ લાગશે. જ્યારે આપણને? આપણાં માટે એ ત્રીકોણનાં ખુણાઓનો સરવાળો 180 અંશ કરતાં વધી જશે!!! પેલા જીવને પૃથ્વીની ગોળાઈ અનુભવાતી નથી, જ્યારે આપણે એ અનુભવી શકીએ છીએ. હવે આ જ તર્ક પર આગળ વધતાં જઈએ અને વીચારીએ, કે જો આપણી અનુભુતીમાં માત્ર એક પરીમાણ નવું ઉમેરાય તો દુનીયા કેવી થઈ જાય? અને ઘણાં વૈજ્ઞાનીકો તો બ્રહ્માંડને 10 પરીમાણ હોવાની વાત કરે છે. આવું વીશ્વ કેવું હશે?</p>
<p>ઘણાં મીત્રો જાણતાં હશે, કે બ્રહ્માંડનો 97% ભાગ અદ્રશ્ય પદાર્થનો બનેલો છે! જે દ્રશ્ય જગત છે (<strong>તારા</strong>, <strong>નીહારીકા</strong>, <strong>આકાશગંગા</strong>, <strong>બ્લેકહૉલ</strong>(<strong>કૃષ્ણ વીવર</strong>) વગેરે) એ તો માત્ર એક નાનો-શો અંશ છે. આ ખોવાયેલા જગત વીશે કલ્પના કરાય છે, કે તે <strong>ડાર્ક-મેટર</strong> કે <strong>ન્યુટ્રીનો</strong> નામનાં કણનું બનેલું છે; જે આપણા આજનાં સાધનો વડે જાણી શકાતું નથી. હવે, જો કે ન્યુટ્રીનો પકડાયાં છે. પણ એમાં નવો ફણગો ફુટ્યો છે, કે ન્યુટ્રીનો માત્ર 16% દ્રવ્ય છે. હજી, 81%નો પત્તો મેળવવો બાકી રહ્યો છે.</p>
<p>તાજેતરમાં આ વીશે એક નવી થીયરી ઉભી થઈ છે. આપણાં જેવાં અનેક બ્રહ્માંડ હોવાનું હવે વૈજ્ઞાનીકો સ્વીકારે છે. (આપણાં શસ્ત્રોની 14 બ્રહ્માંડવાળી વાત સાચી?) હવે બે બ્રહ્માંડ આપણાં અનુભવનાં બહારનાં પરીમાણમાંના કોઈ પરીમાણમાં એક-બીજા સાથે અથડાય તો શું થાય? એ જ કે, આપણાં 81% દ્રવ્યનો જથ્થો બીજા બ્રહ્માંડનો હોય અને આપણે એ અનુભવી શકતાં ના હોઈએ!</p>
<p>આગળ ફરી ક્યારેક આ બાબતે ચર્ચા...</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[પ્લાઝ્મા]]></title>
<link>http://parimiti.wordpress.com/2007/10/06/%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be%e0%aa%9d%e0%ab%8d%e0%aa%ae%e0%aa%be/</link>
<pubDate>Sat, 06 Oct 2007 16:40:13 +0000</pubDate>
<dc:creator>Chirag</dc:creator>
<guid>http://parimiti.wordpress.com/2007/10/06/%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be%e0%aa%9d%e0%ab%8d%e0%aa%ae%e0%aa%be/</guid>
<description><![CDATA[પ્લાઝ્મા - ચીરાગ પટેલ Oct 06, 2007
આપણે પદાર્થ]]></description>
<content:encoded><![CDATA[<p><strong>પ્લાઝ્મા</strong> - ચીરાગ પટેલ Oct 06, 2007</p>
<p>આપણે પદાર્થની ત્રણ અવસ્થાઓ જાણીએ છીએ: <strong>ઘન</strong>, <strong>પ્રવાહી</strong>, અને <strong>વાયુ</strong>. આ ઉપરાંતની પદાર્થની કોઈ બીજી સ્થીતી તમારી જાણમાં છે? તમે દીવો પ્રગટાવો ત્યારે દીવાની જે જ્યોત છે તે શું છે? શું એ દીવેટ કે ઘી કે હવા છે? હકીકતમાં <strong>જ્યોત</strong> એ જ હવાની પ્લાઝ્મા (<strong>plasma</strong>) અવસ્થા છે! (ટેકનીકલી એ આંશીક પ્લાઝ્મા છે.) પ્લાઝ્માનું બીજું કોઈ ધગધગતું ઉદાહરણ કલ્પી શકો છો? સુરજદાદા! સુર્ય એટલે કે તારો જ્યારે જીવતો (?) હોય, ત્યારે તેમાં સતત <strong>હાઈડ્રોજન</strong>માંથી <strong>હીલીયમ</strong>માં રુપાંતરણની પ્રક્રીયા ચાલતી જ હોય છે. અને એ હીલીયમ પ્લાઝ્મા સ્વરુપે રહે છે. આકાશે ઝબુકતી <strong>વીજળી</strong> પણ પ્લાઝ્મા અવસ્થા છે. <strong>ધ્રુવજ્યોતી</strong> કે <strong>અરોરા</strong> (<strong>aurora</strong>) એ પણ પ્લાઝ્મા છે. કૃત્રીમ પ્લાઝ્મા આજકાલ મળતાં પ્લાઝ્મા ટીવી, <strong>નીયોન લાઈટ</strong>, <strong>રોકેટ</strong>ના એક્ઝોસ્ટ વગેરેમાં જોવા મળે છે.</p>
<p>દરેક અણુનું મોડેલ લગભગ આપણી <strong>સુર્યમાળા</strong> જેવું દેખાય. સુર્યની ફરતે નવ ગ્રહો ફરે છે (<strong>પ્લુટો</strong>નું સ્થાન જો કે હવે ડામાડોળ છે!). જો એકાદ ગ્રહ એની કક્ષામાંથી છટકી જાય તો? બાહ્યાવકાશમાં ગમે ત્યાં ગોફણની પેઠે અથડાયા કરે! પ્લાઝ્મા અવસ્થા એટલે આવી રીતે છટકી ગયેલા <strong>ઈલેક્ટ્રોન</strong> (આવા પરમાણુઓને <strong>ચાર્જ્ડ પાર્ટીકલ્સ</strong> (<strong>charged particles</strong>) પણ કહી શકાય). જો કે પદાર્થ પ્લાઝ્મા અવસ્થામાં છે એવું છાતી ઠોકીને કહી શકાય એ માટે નીચેની શરતોનું પાલન થવું જોઈએ:</p>
<p>1. દરેક પરમાણુનાં ઈલેક્ટ્રોન, માત્ર સહુથી નજીકનાં પરમાણુ સાથે પ્રક્રીયા કરવાને બદલે આજુબાજુના બધાં ચાર્જ્ડ પાર્ટીકલ્સ સાથે અસર જન્માવે; અને બધાં ભેગાં મળીને સંયુક્ત સમુહ રુપે પોતાની વર્તણુંક દર્શાવે. આ માટે <strong>ડેબ્યે સ્ફીઅર</strong> (<strong>Debye sphere</strong>) શબ્દ પ્રયોજાય છે. આ ગોળામાં રહેલાં ચાર્જ્ડ પાર્ટીકલ્સ પ્લાઝ્મા સ્થીતી જન્માવે છે.<br />
2. પ્લાઝ્મા <strong>આવૃત્તી</strong> (ઈલેક્ટ્રોનની પ્લાઝ્મા આવૃતી) સમાન્ય પરમાણુમાં ઈલેક્ટ્રોનની બીજા પરમાણુઓ સાથેની અસરોની આવૃત્તી કરતાં ઘણી વધારે હોવી જોઈએ.<br />
3. સપાટી પરનાં ચાર્જ્ડ પાર્ટીકલ્સ કરતાં તેમની સમુહ વર્તણુંક વધારે અગત્યની છે.</p>
<p>પ્લાઝ્મા અવસ્થા જન્માવતાં પરીબળોમાં ઉંચું <strong>તાપમાન</strong> (નીચા તાપમાને પણ પ્લાઝ્મા શક્ય છે), ઉચું <strong>વીજદબાણ</strong>, ઉંચું <strong>ચુંબકીયબળ</strong> જવાબદાર છે.</p>
<p>પદાર્થની બીજી પણ નવી અવસ્થાઓ છે: <strong>બોઝ-આઈંસ્ટાઈન કંડેંસેટ</strong> (<strong>Bose-Einstein Condensate</strong>), <strong>ફર્મીઓનીક કંડેંસેટ</strong> (<strong>Fermionic condensate</strong>), <strong>ક્વોંટમ સ્પીન હૉલ</strong> (<strong>Quantum spin Hall</strong>), <strong>ડીજનરેટ મૅટર</strong> (<strong>degenerate matter</strong>), <strong>સ્ટ્રેઈંજ મૅટર</strong> (<strong>Strange matter</strong>), <strong>સુપરફ્લુઈડ્સ</strong> (<strong>Superfluids</strong>), <strong>સુપરસૉલીડ્સ</strong> (<strong>Supersolids</strong>), <strong>સ્ટ્રીંગ-નેટ લીક્વીડ</strong> (<strong>String-net liquid</strong>). આ બધી આવસ્થાઓ પર ક્યારેક ચર્ચા કરીશું.</p>
<p>પ્લાઝ્મા સ્થીતીમાં વૈજ્ઞાનીકોને એટલો બધો રસ પડ્યો છે કે વીજ્ઞાનની આખી નવી શાખા <strong>પ્લાઝ્મા ફીઝીક્સ</strong> (<strong>Plasma Physics</strong>) વીકસી છે.</p>
<p>જ્યારે કોઈ પદાર્થ પ્લાઝ્મા સ્થીતી ધારણ કરે ત્યારે તે જાણે <strong>જૈવીક પદાર્થ</strong> હોય એવી રીતે વર્તે છે. આખો પદાર્થ જાણે જીવંત બની જાય છે, અને પોતાની અશુધ્ધીઓને જાણે વાઈરસનું ઈંફેક્શન દુર કરવાનું હોય એમ પ્રતીક્રીયા જન્માવે છે. પોતાની આસપાસનાં વાતાવરણને વૈચારીક પ્રક્રીયાથી (?) અસર કરવાની શરુઆત કરે છે!</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[ત્રીમુર્તી - ચીરાગ પટેલ]]></title>
<link>http://parimiti.wordpress.com/2007/09/21/%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80%e0%aa%ae%e0%ab%81%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a4%e0%ab%80-%e0%aa%9a%e0%ab%80%e0%aa%b0%e0%aa%be%e0%aa%97-%e0%aa%aa%e0%aa%9f%e0%ab%87%e0%aa%b2/</link>
<pubDate>Sat, 22 Sep 2007 02:38:44 +0000</pubDate>
<dc:creator>Chirag</dc:creator>
<guid>http://parimiti.wordpress.com/2007/09/21/%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80%e0%aa%ae%e0%ab%81%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a4%e0%ab%80-%e0%aa%9a%e0%ab%80%e0%aa%b0%e0%aa%be%e0%aa%97-%e0%aa%aa%e0%aa%9f%e0%ab%87%e0%aa%b2/</guid>
<description><![CDATA[ત્રીમુર્તી - ચીરાગ પટેલ Sep 21, 2007
આપણાં શાસ]]></description>
<content:encoded><![CDATA[<p>ત્રીમુર્તી - ચીરાગ પટેલ Sep 21, 2007</p>
<p>આપણાં શાસ્ત્રોમાં અને પુરાણોમાં <strong>ત્રીમુર્તી</strong> કેન્દ્રસ્થાને રહી છે. ત્રીમુર્તી એટલે <strong>બ્રહ્મા</strong>, <strong>વીષ્ણુ</strong> અને <strong>મહેશ</strong> (<strong>શંકર</strong>). જ્યારે આ <strong>બ્રહ્માંડ</strong>ની ઉત્પતી થઈ ત્યારે તેનાં વીવીધ સંચાલન માટે ત્રીમુર્તીનો પણ ઉદ્ભવ થયો હતો. બ્રહ્માંડ અને ત્રીમુર્તીની ઉત્પત્તી કેવી રીતે અને ક્યારે થઈ હતી એની ચર્ચા ફરી ક્યારેક કરીશું. આજે તો માત્ર ત્રીમુર્તીનું મારી દ્રષ્ટીએ <strong>પૃથક્કરણ</strong> કરીએ!</p>
<p>જગતનાં દરેક <strong>જડ-ચેતન</strong> પદાર્થોનો ઉદભવ બ્રહ્મામાંથી થયેલો માનવામાં આવે છે. બ્રહ્મા એટલે જગતપીતા! દરેક જ્ઞાનનાં આદી સ્વરુપ વેદોની ઉત્પત્તી પણ બ્રહ્મામાંથી થઈ છે. પુરાણોમાં દર્શાવેલાં કોઈ પણ રાજવંશનાં મુળમાં જગતપીતા બ્રહ્મા રહેલાં છે. આવી આદરણીય વીભુતી હોવા છતાં તેમનું મંદીર રાજસ્થાનનાં <strong>પુષ્કર</strong>ક્ષેત્ર સીવાય હોવાનું જાણમાં નથી. તેનાં કારણરુપ ઘણી ઘણી વાર્તાઓ આપણાં પુરાણોમાં જાણવાં મળે છે. આવાં બ્રહ્માજીનું પ્રાગટ્ય વીષ્ણુનાં <strong>નાભીકમળ</strong>માંથી થયું હતું.</p>
<p>બ્રહ્મા પણ જેમાંથી પ્રગટ્યા એવા જગતના પાલન-લાલન કરનારાં વીષ્ણુ <strong>શેષશૈયા</strong> પર સુતાં-સુતાં બ્રહ્માંડની દરેક પ્રવૃત્તી પર ચાંપતી નજર રાખી રહ્યાં છે. વીષ્ણુને પરમાત્માનાં અંશરુપ અને સીધાં પ્રતીનીધી માનવામાં આવે છે. તેમણે જગતને ચલાવવા માટે કંઈ કેટલાંય પ્રશ્નોનું યુક્તીપુર્વક સમાધાન કર્યું છે.</p>
<p>શંકર, આદીદેવ, <strong>મહાદેવ</strong>, સાક્ષાત <strong>શીવ</strong>, <strong>આશુતોષ</strong>, ભોળા <strong>શંભુ</strong>ને બ્રહ્માંડનો વીનાશકર્તા માનવામાં આવે છે. તેમનું <strong>તાંડવનૃત્ય</strong> મોટાં ગ્રહોથી લઈને સુક્ષ્મ પરમાણુઓ સુધી બધાંનો વીનાશ કરી નાંખે છે. તેમનાં <strong>ડમરું</strong>માંથી <strong>શીવસુત્રજાળ</strong> સ્વરુપે આપણી ભાષા (સંસ્કૃત)નું બીજ નીકળ્યું હતું.</p>
<p>આપણે દરેક જુદાં જુદાં પ્રકારનાં પ્રાકૃતીક બળોને જાણીએ છીએ, જેમ કે, <strong>ગુરુત્વાકર્ષણબળ</strong>, <strong>ચુંબકીયબળ</strong>, <strong>વીદ્યુતબળ</strong> વગેરે. (વીજ્ઞાને જે બળનાં નામ નથી આપ્યાં એવાં પણ ઘણાં બળોનો આપણને અનુભવ છે!) ભૌતીકવીજ્ઞાને આ બધાં બળોમાંથી મુખ્ય ચાર બળોને અલગ તારવ્યાં છે. બાકીનાં બધાં જ આ ચાર પાયાનાં બળોનું જ સ્વરુપ છે. આવા પાયાનાં બળો છે: ગુરુત્વાકર્ષણબળ, <strong>વીદ્યુતચુંબકીયબળ</strong>, <strong>વીકફોર્સ</strong>, <strong>સ્ટ્રોંગફોર્સ</strong>.</p>
<p>વીશ્વનો દરેક પદાર્થ ઉર્જામાં રુપાંતરીત થઈ શકે છે. વીશ્વનું એ જ મુળભુત સ્વરુપ છે - ઉર્જા. જે પદાર્થ દેખાય છે એ બધાં અસ્થાયી સ્વરુપ છે. હવે, દરેક પદાર્થ ગુરુત્વાકર્ષણ ધરાવવાનો મુળભુત સ્વભાવ ધરાવે છે, જ્યારે ઉર્જા પોતે હંમેશાં વીદ્યુતચુંબકીય બળ સ્વરુપે પોતાનાં ચમકારાં બતાવતી રહે છે. જ્યારે ઉર્જામાંથી બ્રહ્માંડ બન્યું ત્યારે જ તેમાંથી ગુરુત્વાકર્ષણબળનો પણ સાથે જન્મ થયો. આ બળ સમયને પણ લાંધીને અનંત અંતરસુધી વીસ્તરેલું હોય છે. આમ, વીશ્વનો દરેક પદાર્થનું ગુરુત્વાકર્ષણબળ, બ્રહ્માંડની સીમા (જો હોય તો) હોય ત્યાં સુધી વીસ્તરેલું આપણે માની શકીએ! અને આમ દરેક પદાર્થનાં આવાં બળની ત્રીપરીમાણીય (કે વધારે પરીમાણધારી, કારણકે ગુરુત્વાકર્ષણબળ સમયને પણ પાર કરીને વીસ્તરેલું હોય છે) ચાદરમાં જ દરેક પદાર્થ અવલંબે છે, ટકી રહે છે. શું આ બળ જ વીષ્ણુ છે?</p>
<p>જ્યારે ગુરુત્વાકર્ષણથી ઘનીભુત થયેલું ઉર્જાનું વાદળ વલોવાય છે, હચમચે છે ત્યારે પ્રોટોન-ન્યુટ્રોન વચ્ચે સંઘભાવના જન્મે છે અને તેમનાં મુળભુત અપાકર્ષણને બદલે સ્ટ્રોંગફોર્સરુપી ભાઈચારો વ્યાપક બને છે, અને નાભીકમળમાંથી પ્રગટે છે પરમાણુ. આ સ્ટ્રોંગફોર્સને લીધે જ પરમાણુઓનું અસ્તીત્વ ટકી રહે છે અને આખું વીશ્વ આકાર લે છે. શું આ બળ એ જ બ્રહ્મા?</p>
<p>અમુક પદાર્થ, તેનાં પરમાણુઓમાં વીઘટીત થયેલો હોય ત્યારે (બાહ્યબળની ગેરહાજરીમાં પણ) તેનાં કેન્દ્રમાં રહેલાં પ્રોટોન-ન્યુટ્રોન ભારત-પાકીસ્તાનનું રુપ ધારણ કરે છે. તેમની ઉર્જાનું વીકીરણરુપી કારગીલ યુધ્ધ જામે છે, અને મુળભુત બંધારણ બદલાઈ જાય છે. પરમાણુમાંથી વીકીરણોનો ધોધ જન્માવતાં આ બળને વીકફોર્સ કહે છે. આખું બ્રહ્માંડ અમુક સમય પછી ધીરી-ધીરે પોતાનું ખોળીયું વીકફોર્સની અસરતળે સંકોરી લેશે. શું આ વીકફોર્સ એ જ શંકર મહાદેવ?</p>
<p>ૐ તત સત ૐ</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[વૈજ્ઞાનીક ધર્મ - ચીરાગ પટેલ]]></title>
<link>http://parimiti.wordpress.com/2007/09/13/%e0%aa%b5%e0%ab%88%e0%aa%9c%e0%ab%8d%e0%aa%9e%e0%aa%be%e0%aa%a8%e0%ab%80%e0%aa%95-%e0%aa%a7%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ae-%e0%aa%9a%e0%ab%80%e0%aa%b0%e0%aa%be%e0%aa%97-%e0%aa%aa%e0%aa%9f%e0%ab%87/</link>
<pubDate>Fri, 14 Sep 2007 02:55:16 +0000</pubDate>
<dc:creator>Chirag</dc:creator>
<guid>http://parimiti.wordpress.com/2007/09/13/%e0%aa%b5%e0%ab%88%e0%aa%9c%e0%ab%8d%e0%aa%9e%e0%aa%be%e0%aa%a8%e0%ab%80%e0%aa%95-%e0%aa%a7%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ae-%e0%aa%9a%e0%ab%80%e0%aa%b0%e0%aa%be%e0%aa%97-%e0%aa%aa%e0%aa%9f%e0%ab%87/</guid>
<description><![CDATA[વૈજ્ઞાનીક ધર્મ - ચીરાગ પટેલ Jul 1992
હાલ વીશ]]></description>
<content:encoded><![CDATA[<p>વૈજ્ઞાનીક ધર્મ - ચીરાગ પટેલ Jul 1992</p>
<p>હાલ વીશ્વમાં જે ઘટનાઓ ઘટી રહી છે, તે જોતાં આપણને એવું લાગે છે કે આજનો માનવસમાજ છીન્ન ભીન્ન થઈ રહ્યો છે. માનવ સંસ્કૃતીમા સ્પષ્ટ બે ભાગ થઈ ગયા છે: પાશ્ચાત્ય સંસ્કૃતી અને પુર્વીય સંસ્કૃતી.</p>
<p>પાશ્ચાત્ય સંસ્કૃતીમાં વીજ્ઞાનને મહત્ત્વ અપાયું છે, ત્યારે પૌર્વાત્ય સંસ્કૃતીમાં આધ્યાત્મીક્તાને. પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે માત્ર વીજ્ઞાનથી જ કે માત્ર ધર્મથી કોઈ પણ સંસ્કૃતીને લાભ થયો નથી કે તેનો વીકાસ થયો નથી. આથી આપણે એક નવી વીચારસરણી વીકસાવવી જોઈએ કે જેમાં વીજ્ઞાન અને ધર્મનો સમંવય થતો હોય.</p>
<p>આવી વીચારસરણી વીકસાવવી કેવી રીતે? તે માટે કેટલાક ઉદાહરણો જોઈએ.</p>
<p>1) સાબીત થયું છે કે આપણી આકાશગંગાનો આકાર ઉપરથી જોતાં સર્પનાં મસ્તક જેવો દેખાય છે. હવે આ બાબતને આપણે એક પ્રાચીન માન્યતા સાથે સાંકળી શકીએ.</p>
<p>"આપણી પૃથ્વી શેષનાગના માથા પર છે, જેને લીધે તે અવકાશમાં ટકી રહી છે."</p>
<p>આપણે જોઈ શકીએ છીએ કે આ માન્યતા ખરેખર સાચી છે, પરંતુ તેને સમજવાની આપણી દ્રષ્ટીના અભાવને કારણે વાહીયાત લાગે છે.</p>
<p>2) બીજી એક પ્રાચીન માન્યતા પ્રમાણે, બ્રહ્માના દીવસમાં સૃષ્ટીનો ઉદ્ભવ થાય છે અને બ્રહ્માની રાત્રીમાં સૃષ્ટીનો વીનાશ થાય છે.</p>
<p>આપણા બ્રહ્માંડના બ્લેક હોલમાં પદાર્થનો નાશ થાય છે, તથા વ્હાઈટ હોલમાં પદાર્થ બને છે. તેથી આપણે કલ્પી શકીએ કે આવા હોલ એ જ બ્રહ્મા!</p>
<p>3) આપણા શાસ્ત્રોમાં વીષ્ણુના દશાવતારોનું વર્ણન જોવા મળે છે. આપણે વીષ્ણુના દરેક અવતારોને નીચે મુજબ સાંકળી શકીએ.</p>
<p>મત્સ્યાવતાર - જળચર સૃષ્ટીનો ઉદભવ<br />
કુર્માવતાર - પેટે સરકીને ચાલતાં પ્રાણીઓનો ઉદભવ<br />
વરાહાવતાર - પૃષ્ઠવંશી પ્રાણીઓનો ઉદભવ<br />
નૃસીંહાવતાર - ચોપગાં પ્રાણીઓનો ઉદભવ<br />
વામનાવતાર - પ્રોઝીમીઅન પ્રાણીઓનો ઉદભવ (વાંદરાં કુળનાં પુર્વજ)<br />
પરશુરામાવતાર - ઓસ્ટ્રેલોપીથેક્સ કપીઓનો ઉદભવ<br />
રામાવતાર - હોમો ઈરેક્ટસ માનવોનો ઉદભવ<br />
કૃષ્ણાવતાર - હોમો સેપીયંસ (આધુનીક માનવો) નો ઉદભવ<br />
બુધ્ધાવતાર - માનવોનો વીકાસ<br />
કલ્કી અવતાર - સુપર મનુષ્યોનો ઉદભવ</p>
<p>આમ, વીષ્ણુના અવતારો એ કોઈ વ્યક્તીરુપ નથી, પરંતુ વીકાસક્રમની અમુક ચોક્કસ અવસ્થાઓ છે.</p>
<p>આપણે ધર્મને માત્ર અંધશ્રધ્ધાના વીષયરુપે નહીં, પરંતુ તેની માન્યતાઓને વૈજ્ઞાનીક રીતે મુલવવી જોઈએ.</p>
<p>આ પ્રકારની નવી વીચારસરણી જ માણસને કંઈક નવી દ્રષ્ટી આપી શકશે.<br />
-------------------------------------------------------------<br />
નોંધ: આજે (2007 - 09 - 13) હું આ દરેક વીચારો સાથે સંમત નથી (દશાવતારો વીશે), પરંતુ આ જ પ્રકારની વીચારસરણી નીત્ય કર્મોમાં અપનાવી અમલમાં મુકુ છું.<br />
આ લેખ જુલાઈ, 1992 માં લોક વીજ્ઞાન કેન્દ્ર, વડોદરનાં ત્રીમાસીક 'વિજ્ઞાનવાણી' સામયીકનાં પ્રથમા અંકમાં પ્રકાશીત થયો હતો. હું એ વખતે એલેમ્બીક વીદ્યાલયનાં 11માં ધોરણમાં હતો.</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[સરળ રાજયોગ 1]]></title>
<link>http://parimiti.wordpress.com/2007/09/08/%e0%aa%b8%e0%aa%b0%e0%aa%b3-%e0%aa%b0%e0%aa%be%e0%aa%9c%e0%aa%af%e0%ab%8b%e0%aa%97-1/</link>
<pubDate>Sat, 08 Sep 2007 19:37:36 +0000</pubDate>
<dc:creator>Chirag</dc:creator>
<guid>http://parimiti.wordpress.com/2007/09/08/%e0%aa%b8%e0%aa%b0%e0%aa%b3-%e0%aa%b0%e0%aa%be%e0%aa%9c%e0%aa%af%e0%ab%8b%e0%aa%97-1/</guid>
<description><![CDATA[ઘણાં વખતથી મારે રાજયોગ વીશે લખવું હતુ]]></description>
<content:encoded><![CDATA[<p>ઘણાં વખતથી મારે <strong>રાજયોગ</strong> વીશે લખવું હતું, પરંતુ યોગ્ય સમયની રાહ જોતો હતો. અને ગઈકાલે જ સુરેશદાદાની એ વીશેની પૃચ્છાએ આ લેખ લખવા મને ઇંધણ પુરું પાડ્યું.</p>
<p>ઋષી <strong>પતંજલી</strong>એ આજથી લગભગ 2500 વર્ષ પહેલાં '<strong>યોગસુત્ર</strong>' લખ્યાં છે, જેમાં રાજયોગનાં સીધ્ધાંતો પ્રતીપાદીત કરવામાં આવ્યાં છે. <strong>શ્વેતાશ્વતર</strong> <strong>ઉપનીષદ</strong>માં પણ <strong>સમાધી</strong>, <strong>કૈવલ્યપદ</strong> વગેરેની સુક્ષ્મ સમજુતી આપવામાં આવી છે. સ્વામી વીવેકાનંદે એમનાં 'રાજયોગ' પુસ્તકમાં દરેક સીધ્ધાંતોની વીસ્તૃત ચર્ચા કરી છે. અહીં હું એમના પુસ્તકનો આધાર લઈને સરળ રાજયોગની પધ્ધતી જણાવું છું. સાથે, મારા પોતાના અનુભવો પણ વર્ણવીશ.</p>
<p>રાજયોગ <strong>દ્વૈત</strong> અથવા <strong>અદ્વૈત</strong> બન્નેનાં અંતીમ <strong>ધ્યેય</strong>ને પ્રાપ્ત કરવાનાં ઘણાં સાધનોમાંનો એક છે. <strong>ભક્તી</strong>, <strong>સંન્યાસ</strong>, <strong>કર્મ</strong> વગેરે અનેક જુદાં જુદાં રસ્તાઓ અંતે તો એક જ બની જાય છે. શરુઆતમાં દરેક રસ્તા અલગ અલગ જણાય છે, પરંતુ એકનું ચુસ્ત પાલન આપોઆપ અંતે તો એક જ સામાન્ય માર્ગે દોરી જાય છે.</p>
<p>રાજયોગનાં આઠ પગથીયાં:</p>
<p>1. <strong>યમ</strong>:<br />
જેમાં <strong>સત્ય</strong> - હકીકત જેવી છે તેવી જણાવવી, <strong>અહીંસા</strong> - કોઇ પણ પદાર્થ/જીવને હાની ના પહોંચાડવી, <strong>અસ્તેય</strong> - કોઇની વસ્તુ પડાવી ના લેવી, <strong>અપરીગ્રહ</strong> - ગમે તે સંજોગોમાં કોઇની પાસેથી દાન ના લેવું, <strong>બ્રહ્મચર્ય</strong> - ઇંદ્રીયોનો સંયમ (દમન નહીં) જેવાં પાંચ કર્મ આધારીત પદ છે. દરેક પદ વીશે ઘણું લખી શકાય તેમ છે, પરંતું અંતે તો એ જે તે પાલનકર્તાની વીવેકબુધ્ધી અને સામાજીક નીયમો પર આધારીત છે. અહીંસામાં દ્રઢ થવાથી વૈરભાવ નીકળી જાય છે. સત્યમાં પ્રતીષ્ઠીત થવાથી કર્મો કર્યા વીના કર્મોનું ફળ પ્રાપ્ત થાય છે. અસ્તેયમાં દ્રઢ થવાથી સર્વ રત્નો પ્રાપ્ત થાય છે. બ્રહ્મચર્યમાં સ્થીર થવાથી શક્તી મળે છે. અપરીગ્રહમાં દ્રઢ થવાથી પાછલા જન્મોની સ્મૃતી થાય છે.</p>
<p>2. <strong>નીયમ</strong>:<br />
જેમાં <strong>તપ</strong> - શારીરીક કષ્ટ સહન કરવાં, <strong>સ્વાધ્યાય</strong> - સતત શાબ્દીક/અર્ધશાબ્દીક/માનસીક <strong>જપ</strong>, <strong>શૌચ</strong> - બાહ્ય (શારીરીક) અને આંતરીક (માનસીક) શુધ્ધી, <strong>સંતોષ</strong> - હકીકત જેવી છે તેવી સ્વીકારવી, <strong>ઇશ્વર પ્રણીધાન</strong> - <strong>ભજન</strong>, <strong>કીર્તન</strong>, <strong>પ્રાર્થના</strong>, <strong>પુજા</strong>, <strong>અર્ચના</strong>; એમ પાંચ પદ છે. ફરીથી, આ દરેક પાલનકર્તાની વીવેકબુધ્ધી, સામાજીક નીયમો અને દેશ-કાળ પર આધાર રાખે છે. તપ વડે શરીર અને ઈંદ્રીયોની સીધ્ધીઓ આવે છે. શૌચથી ચીત્તની શુધ્ધી, પ્રસન્નતા, એકાગ્રતા, ઈન્દ્રીયજય અને <strong>આત્મદર્શન</strong>ની યોગ્યતા આવે છે. સંતોષથી સર્વોત્તમ સુખ પ્રાપ્ત થાય છે. સ્વાધ્યાય વડે <strong>ઈષ્ટદેવ</strong>નો <strong>સાક્ષાત્કાર</strong> થાય છે. ઈશ્વર પ્રણીધાનથી સમાધી પ્રાપ્ત થાય છે.</p>
<p>3. <strong>આસન</strong>:<br />
ગરદન, માથું, કરોડ ટટ્ટાર રાખીને એક સ્થીતીમાં લાંબા સમય સુધી બેસવું. દરેકને પોતાની પ્રકૃતી પ્રમાણે પદ્માસન, સુખાસન, સીધ્ધાસન, મુળબંધનાસન, વજ્રાસન વગેરે આસનોમાંથી એક અનુકુળ આવી શકે છે. આસનથી દ્વંદ્વોની અસર નાબુદ થાય છે.</p>
<p>4. <strong>પ્રાણાયામ</strong>:<br />
આપણે ત્રણ <strong>નાડી</strong>ઓ દ્વારા <strong>શ્વાસ</strong> લઇએ છીએ: <strong>ઇડા</strong> (<strong>સુર્ય</strong>, ડાબી), <strong>પીંગ</strong>ળા (ચંદ્ર, જમણી), <strong>સુશુમ્ણા</strong> (મધ્ય). વારાફરતી દરેક નાડી દ્વારા <strong>શ્વાસોચ્છવાસ</strong>ની પ્રક્રીયા ચાલતી રહે છે. શ્વાસ અંદર લેવાની પ્રક્રીયાને <strong>પુરક</strong> કહે છે. શ્વાસ શરીરની બહાર કાઢવાની પ્રક્રીયાને <strong>રેચક</strong> કહે છે. શ્વાસને શરીરની અંદર રોકવાની પ્રક્રીયાને આંતરીક <strong>કુંભક</strong> કહે છે, અને શ્વાસને શરીરની બહાર રોકવાની પ્રક્રીયાને બાહ્ય કુંભક કહે છે. પ્રાણાયામ જો માનસીક મંત્રજાપ સાથે કરવામાં આવે તો તેને 'સગર્ભ' પ્રાણાયામ કહે છે, મંત્રજાપ વગરનાં પ્રાણાયામને 'અગર્ભ' પ્રાણાયામ કહે છે. પ્રાણાયામ કરતાં પહેલાં નાડીશુધ્ધી કરવી જરુરી છે. અને 'સગર્ભ' પ્રાણાયામ કફ વગેરે દુર કરવામાં સહાયભુત થાય છે. પ્રાણાયામથી મન ધારણા માટે યોગ્ય બને છે.</p>
<p>5. <strong>પ્રત્યાહાર</strong>:<br />
ઇંદ્રીયોનો પોતાના વીષયોનો ત્યાગ અને તેમને મનની અંદર વાળવાની ક્રીયા. ધ્યાનની <strong>સાધના</strong>માં પ્રથમ પગથીયું છે. તેનાથી ઈન્દ્રીયો પર કાબુ આવે છે.</p>
<p>6. <strong>ધારણા</strong>:<br />
12 સેકંડ સુધી કોઇ એક લક્ષ્ય પર મન એકાગ્ર થાય તો તેને ધારણા કહે છે.</p>
<p>7. <strong>ધ્યાન</strong>:<br />
3 મીનીટ સુધીની મનની એકાગ્રતા એટલે ધ્યાન.</p>
<p>8. <strong>સમાધી</strong>:<br />
30 મીનીટ સુધીની મનની <strong>એકાગ્રતા</strong> સમાધી છે. સમાધીના ઘણાં બધાં પ્રકાર છે.</p>
<p>ચુંટેલા વાક્યો: ---------------------------------------</p>
<p>- ધર્મ પ્રાચીન કાળના અનુભવો પર રચાયેલો છે એટલું જ નહીં, પણ જ્યાં સુધી એ અનુભવોને પોતે પ્રાપ્ત કરે નહીં ત્યાં સુધી કોઈ પણ માણસ ધાર્મીક થઈ શકે નહીં.</p>
<p>- યોગ્ય પૃથક્કરણ વીના કોઈ પણ વીજ્ઞાન નકામું નીવડવાનું - એ માત્ર સીધ્ધાંતનીરુપણ જ રહેવાનું.</p>
<p>- સઘળાં દુ:ખનું મુળ છે ભય, અતૃપ્ત વાસના.</p>
<p>- રાજયોગના સઘળા ઉપદેશોનું ધ્યેય એ છે કે મનને કેવી રીતે એકાગ્ર કરવું, ત્યાર પછી આપણા પોતાના મનનાં ઊંડામાં ઊંડા રહસ્યોને કેવી રીતે શોધી કાઢવાં, ત્યાર પછી તે બધા વીષયો પરથી સામાન્ય નીયમો કેવી રીતે તારવવા; અને તેમના પરથી આપણા પોતાના નીર્ણયો કેવી રીતે બાંધવા.</p>
<p>- ધર્મના ક્ષેત્રમાં પણ જે કંઈ તમને નબળા બનાવે તે બધાનો ત્યાગ કરો, તેની સાથે કશો સંબંધ ન રાખો. રહસ્યમયતાનો શોખ મનુષ્યના મગજને નબળું બનાવે છે. યોગવીદ્યા કે જે એક ભવ્ય વીજ્ઞાન છે, તેનો રહસ્યમયતાએ લગભગ નાશ કરી નાંખ્યો છે.</p>
<p>- બધી સાધનાઓનો હેતુ, અંતીમ ધ્યેય તો આત્માની મુક્તી છે. પ્રકૃતી પર સંપુર્ણ કાબુ, અને એથી ઓછું જરાય નહીં, એ ધ્યેય હોવું જોઈએ.</p>
<p>- મધ્યમ વર્ગના મનુષ્યોમાંથી જ દુનીયાના મહાન પુરુષો આવે છે.</p>
<p>- જ્યારે યોગી પુર્ણ બને છે ત્યારે કુદરતમાં એવું કંઈ જ નથી રહેતું કે જે તેના કાબુ નીચે ન આવે.</p>
<p>- પ્રાણાયામ એટલે શ્વાસ લેવાની ક્રીયા નહીં, પણ ફેફસાંને ચલાવનારી માંસપેશીની શક્તી પર કાબુ મેળવવો.</p>
<p>- કુદરતને પોતાને પ્રચંડ પ્રવાહોને મોકલવા કોઈ તારની જરુર નથી પડતી. તાર વીના ચલાવી શકવાની આપણી અશક્તી જ તાર વાપરવાની આપણને ફરજ પાડે છે.</p>
<p>- અજ્ઞાન અને સંપુર્ણ જ્ઞાન બન્નેમાં જ્ઞાતાની સ્થીતી સરખી જ હોય છે, પરંતુ એ બન્ને અવસ્થામાં ઘણો ઘણો ફેર છે.</p>
<p>- ઈશ્વર ગુરુઓનો પણ ગુરુ છે અને ૐ તેનો બોધક શબ્દ છે.</p>
<p>- નવા વીચારો અને નવી ઘટના મગજમાં નવા ચીલા પાડે છે, તેને ખળભળાવી મુકે છે; અને મન એને સ્વીકારવાની ના પાડે છે.</p>
<p>- યોગની સચ્ચાઈ વીશે શંકાશીલ હોય તે થોડા અભ્યાસ પછી અનુભવે તેની શંકાઓ મટી જશે.</p>
<p>- તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણીધાનને '<strong>ક્રીયાયોગ</strong>' કહે છે.</p>
<p>- ધારણા, ધ્યાન અને સમાધી એક જ વસ્તુ પર કરવામાં આવે, ત્યારે તેને '<strong>સંયમ</strong>' કહે છે.</p>
<p>ધ્યાનના પ્રકારો: -------------------------------------</p>
<p>- ભ્રુકુટી મધ્યે આજ્ઞાચક્રમાં</p>
<p>- હ્રદયની કમળરુપે કલ્પના કરો અને ધ્યાન કરો</p>
<p>- મનને હજાર પાંખડીનું કમળ ધારી એનું ધ્યાન</p>
<p>- હ્રદયમાં જ્યોતીરુપે આત્મા અને તેની મધ્યે પરમ જ્યોતી ધારીને ધ્યાન કરો</p>
<p>- કોઈ પણ પરમાણુથી માંડી પરમ મહત સુધી મનગમતી અને પવીત્ર વસ્તુ પ્રત્યે ધ્યાન કરો</p>
<p>જાપ અને પ્રાણાયામમાં સહાયભુત મંત્રો: ----------------------------</p>
<p>1. ૐ</p>
<p>2. સોડ્મ</p>
<p>3. ૐ તત સત ૐ</p>
<p>4. ૐ ઐં હ્રીં ક્લીં સૌં શ્રીં ૐ</p>
]]></content:encoded>
</item>

</channel>
</rss>
