<?xml version="1.0" encoding="UTF-8"?><!-- generator="wordpress.com" -->
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	>

<channel>
	<title>મનોવિજ્ઞાન &amp;laquo; WordPress.com Tag Feed</title>
	<link>http://wordpress.com/tag/મનોવિજ્ઞાન/</link>
	<description>Feed of posts on WordPress.com tagged "મનોવિજ્ઞાન"</description>
	<pubDate>Thu, 16 Oct 2008 07:43:39 +0000</pubDate>

	<generator>http://wordpress.com/tags/</generator>
	<language>en</language>

<item>
<title><![CDATA[સબલિમિનલ મેસેજ]]></title>
<link>http://vaato.wordpress.com/?p=19</link>
<pubDate>Fri, 16 May 2008 17:20:15 +0000</pubDate>
<dc:creator>vaato</dc:creator>
<guid>http://vaato.wordpress.com/2008/05/16/%e0%aa%b8%e0%aa%ac%e0%aa%b2%e0%aa%bf%e0%aa%ae%e0%aa%bf%e0%aa%a8%e0%aa%b2-%e0%aa%ae%e0%ab%87%e0%aa%b8%e0%ab%87%e0%aa%9c/</guid>
<description><![CDATA[સબલિમિનલ મેસેજનું (હવે પછી સ.મે. ) વિજ્ઞ]]></description>
<content:encoded><![CDATA[<p>સબલિમિનલ મેસેજનું (હવે પછી સ.મે. ) વિજ્ઞાન કોઈ નવું સંસોધન નથી. અમેરીકામાં<br />
સ.મે. નો પ્રચાર એટલા માટે થયો કે તેનો કાયદા દ્વારા પ્રતિબંધ કરવામાં<br />
આવ્યો હતો. ૧૯૫૭ માં જેમ્સ વિકારી નામનાં માણસે એવી ઘોશણાં કરી કે સ.મે.<br />
દ્વારા તેણે લોકોને વધુ પોપકોર્ન અને સોફ્ટ ડ્રિંક્સ ખરીદતા કર્યા હતા. આ<br />
બાબતે લોકોમાં મોટો ઉહાપોહ મચેલો હતો. તેથી સરકારે સ.મે. પર પ્રતીબંધ<br />
લાદ્યો. પ્રતીબંધ લાદતા પહેલા સરકારે એ તપાસ ન કરી કે સ.મે. ખરેખર કામ<br />
કરે છે કે નહીં. પાછડથી પોલ ખુલી કે જેમ્સ ખોટું બોલ્યો હતો. અને હેનરી<br />
લિક્સે સાબિત કરી બતાવ્યું કે સ.મે. દ્વારા પોપકોર્ન વધુ વેંચાતા નથી.<br />
જેમ્સ વિકારી ખોટો ઠરે તે પહેલાતો સ.મે. નો ખોટો પ્રચાર થઈ ચુક્યો હતો.<br />
ચમત્કારને નમસ્કાર - લોકો સ.મે. માં માનવા લાગ્યા અને ઘણા લોકોએ સ.મે. પર<br />
પુસ્તકો લખીને પૈસા બનાવ્યા, ઘણાએ તેની ઉપર વિડિઓ બનાવીને પૈસા બનવ્યા,<br />
ઘણા લોકોએ તેના પર સેમિનાર આયોજિને પૈસા બનાવ્યા! લોકોને છેતરવાનો<br />
સિલસિલો ઘણા વર્ષો ચાલ્યો. વર્ષો સુધી ઘાણા લોકોએ છાપા, રેડિઓ, ટીવી<br />
વગેરે દ્વારા લોકોને જાગ્રુત કરવાનાં પ્રયાસો પછી આજનાં અમેરીકન સમાજમાં<br />
સ.મે. માં વિશ્વાસ રાખવાવાળા ઘણાંજ ઓછા લોકો છે.<br />
કોઇ વસ્તુ કે કાબેલિયત હાંશિલ કરવા માટે મનમાં ગાંઠ વાળવી જરુરી છે.<br />
પરંતૂ ફક્ત ગાંઠ વાળવાથી કાઈ મળતું નથી. મનમાં શક્તિ છે. ઈચ્છાશક્તી<br />
કાર્યને વેગ આપે છે પરંતુ કર્મ કર્યા વગર સફળતા મળતી નથી.</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[ચહેરાની અંધતા]]></title>
<link>http://vaato.wordpress.com/2007/10/26/%e0%aa%9a%e0%aa%b9%e0%ab%87%e0%aa%b0%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%85%e0%aa%82%e0%aa%a7%e0%aa%a4%e0%aa%be/</link>
<pubDate>Fri, 26 Oct 2007 22:44:37 +0000</pubDate>
<dc:creator>vaato</dc:creator>
<guid>http://vaato.wordpress.com/2007/10/26/%e0%aa%9a%e0%aa%b9%e0%ab%87%e0%aa%b0%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%85%e0%aa%82%e0%aa%a7%e0%aa%a4%e0%aa%be/</guid>
<description><![CDATA[ચહેરાની અંધતા (Face Blindness) એક માનસીક રોગ છે. ]]></description>
<content:encoded><![CDATA[<p>ચહેરાની અંધતા (Face Blindness) એક માનસીક રોગ છે. આ રોગમાં દર્દી લોકોના ચહેરાઓ ભુલી જાય છે! એક કીસ્સામાં દર્દી અકસ્માત બાદ કોમામાં ગયો અને જ્યારે ભાનમાં આવ્યો ત્યારે તેની માંને જોઈને કહ્યું, 'તું મારી માં જેવીજ લાગે છે પણ મારી માં બની ને મને છેતરવા આવી છો.". પણ તે વ્યક્તિએ જ્યારે ફોન પર તેની માંનો અવાજ સાંભળ્યો ત્યારે કહ્યું, "તું મને મળવા કેમ નથી આવતી?". - From "A brief history of human conciousness", by V. S. Ramachandaran.</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[સ્કીતઝોફ્રેનીયા અને ગૂઢવાદ]]></title>
<link>http://vaato.wordpress.com/2007/10/26/%e0%aa%b8%e0%ab%8d%e0%aa%95%e0%ab%80%e0%aa%a4%e0%aa%9d%e0%ab%8b%e0%aa%ab%e0%ab%8d%e0%aa%b0%e0%ab%87%e0%aa%a8%e0%ab%80%e0%aa%af%e0%aa%be-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%97%e0%ab%82%e0%aa%a2%e0%aa%b5/</link>
<pubDate>Fri, 26 Oct 2007 22:32:13 +0000</pubDate>
<dc:creator>vaato</dc:creator>
<guid>http://vaato.wordpress.com/2007/10/26/%e0%aa%b8%e0%ab%8d%e0%aa%95%e0%ab%80%e0%aa%a4%e0%aa%9d%e0%ab%8b%e0%aa%ab%e0%ab%8d%e0%aa%b0%e0%ab%87%e0%aa%a8%e0%ab%80%e0%aa%af%e0%aa%be-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%97%e0%ab%82%e0%aa%a2%e0%aa%b5/</guid>
<description><![CDATA[સ્કીતઝોફ્રેનીયા એ એક માનસિક રોગ છે. આ ]]></description>
<content:encoded><![CDATA[<p>સ્કીતઝોફ્રેનીયા એ એક માનસિક રોગ છે. આ રોગથી પીડાતા ૫૨% દર્દીઓ ગૂઢ ઈશ્વરી અનુભવ કરતા હોય છે. ધાર્મિક લોકોના ઈશ્વરી અનુભવો અને સ્કીતઝોફ્રેનીક લોકોના ઈશ્વરી અનુભવોમાં ઘણી સમાનતા જોવામાં આવી છે. ઘણા સંશોધકોનું માનવું છે કે ધાર્મિક લોકોના ઈશ્વરી અનુભવોનું Altered Concious State તરીકે અર્થઘટન કરી શકાય છે. Psychology અને Nuerology ના ભેગા થવાથી આ ક્ષેત્રમાં સારી એવી પ્રગતિ થાવાનો સંભવ છે. વધુ માહિતી માટે Google માં Schizophrenia And Mysticism ની શોધ કરો.</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[ઈચ્છા નિયંત્રણ]]></title>
<link>http://vaato.wordpress.com/2007/10/24/%e0%aa%88%e0%aa%9a%e0%ab%8d%e0%aa%9b%e0%aa%be-%e0%aa%a8%e0%aa%bf%e0%aa%af%e0%aa%82%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a3/</link>
<pubDate>Wed, 24 Oct 2007 20:05:44 +0000</pubDate>
<dc:creator>vaato</dc:creator>
<guid>http://vaato.wordpress.com/2007/10/24/%e0%aa%88%e0%aa%9a%e0%ab%8d%e0%aa%9b%e0%aa%be-%e0%aa%a8%e0%aa%bf%e0%aa%af%e0%aa%82%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a3/</guid>
<description><![CDATA[ભારતીય આધ્યાત્મનો અભ્યાસ કરવાવાળા દર]]></description>
<content:encoded><![CDATA[<p>ભારતીય આધ્યાત્મનો અભ્યાસ કરવાવાળા દરેક વિધ્યાર્થીને એક વાત તરત સમજાઈ જાય છે - ઈચ્છાનું નિયંત્રણ એ આધ્યાત્મિક શિખામણોનો પાયો છે. मनः एव मनुष्याणां कारणं बन्ध मोक्षयोः। - આ ઉપનિષદ વાકય પણ ઈચ્છા નિયંત્રણની જ વાત કરે છે. દરેક આધ્યાત્મિક કે ધાર્મિક ઉપદેશકનું વ્યાખ્યાન સાંભળ્યા પછી એક વાતનો અહેસાસ થાય છે કે - મારો મારી ઈચ્છા પર કાબુ નથી. આવો અહેસાસ માણસમાં સ્વના હીનત્વની લાગણી પેદા કરે છે. માનવ મનના અમૂક નબળા પાસા છે અને લગભગ આખી માનવજાત તે નબળાઈઓથી ગ્રસ્ત છે. તે નબળાઈઓનું કારણ માનવ પોતે નથી પરંતુ માનવીની ઊત્ક્રાન્તી તેના કારણ ના પાયામાં છે. ઈચ્છા પર કાબુ કરી શકનાર વ્યક્તિ વધુ પવિત્ર છે અને તેમ ન કરનાર વ્યક્તિ અધમ છે તે વાત સત્ય લાગતી નથી. ભક્તિમાર્ગમાં આગળ વધેલા જીવો તીવ્ર ઈચ્છા ધરાવતા હોય તેવું દેખાય છે. પોતાની ઈચ્છાને પૂર્ણ કરવામાટે તેઓ પત્નિ, પુત્રો, ઘર સંસાર બધી વસ્તુઓનો ત્યાગ કરે છે. સંસારી માણસ પોતાની ઈચ્છાઓને પૂર્ણ કરવા આટલી હદ સુધી જાતો નથી. ફરક એટલો જ છે કે ભક્તોની ઈચ્છા પારલૌકીક છે અને સામાન્ય માણસોની ઈચ્છા લૌકીક છે. ઈશ્વરપ્રાપ્તીની ઈચ્છા રાખવાવાળા ભક્તો સામાન્ય માણસોને ભોગોની ઈચ્છા છોડવા માટે કહે છે. જો ભક્તોને ઈશ્વરપ્રાપ્તીની ઈચ્છાનો ત્યાગ કરવાનું કહેવામાં આવે તો? ઈશ્વરપ્રાપ્તીની ઈચ્છા ભોગપ્રાપ્તીની ઈચ્છા કરતા અનેક ગણી પ્રબળ હોવાથી સામાન્ય માણસ માટે ભોગેચ્છા છોડવી શક્ય છે પરંતુ ભક્તો માટે ઈશ્વરેચ્છા છોડવી લગભગ અશક્ય છે. ઈચ્છા નિયંત્રણ કરવાની આવડત ને ધાર્મિકતા/આધ્યાત્મિકતા/પવિત્રતા સાથે સંબંધ નથી. પરંતુ ઈચ્છા નિયંત્રણની કળા માનવને તેના જીવનમાં સુખી, સમાધાની તથા સફળ થાવામાં મદદ કરે છે. ધર્મે જે બાબતો દ્વારા માનવની અંદર હીનત્વની લાગણી ઊભી કરી છે તેજ બાબતોનો ઉપયોગ માનવને ધાર્મિક બનાવવાના ઉપાય માટે કર્યો છે.</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[પોતાની સાથે વાતો]]></title>
<link>http://vaato.wordpress.com/2007/10/23/%e0%aa%aa%e0%ab%8b%e0%aa%a4%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b8%e0%aa%be%e0%aa%a5%e0%ab%87-%e0%aa%b5%e0%aa%be%e0%aa%a4%e0%ab%8b/</link>
<pubDate>Tue, 23 Oct 2007 20:03:38 +0000</pubDate>
<dc:creator>vaato</dc:creator>
<guid>http://vaato.wordpress.com/2007/10/23/%e0%aa%aa%e0%ab%8b%e0%aa%a4%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b8%e0%aa%be%e0%aa%a5%e0%ab%87-%e0%aa%b5%e0%aa%be%e0%aa%a4%e0%ab%8b/</guid>
<description><![CDATA[હુઁ જ્યારે ૧૦ વર્ષનો હતો ત્યારે મેઁ એક]]></description>
<content:encoded><![CDATA[<p>હુઁ જ્યારે ૧૦ વર્ષનો હતો ત્યારે મેઁ એક દિવસ આશ્ચર્ય ભરેલુઁ દ્ર્શ્ય જોયુઁ: મારાઁ પાડોસી મણીબેન પોતાની ગેલેરીમાઁ એકલા ઉભા હતા અને જાણે કોઈની સાથે વાતો કરતા હોય તેમ બોલતા હતા. તેમની સામેઁ કોઈ હતુઁ નહીઁ. છતાઁ તેઓ હવામાઁજ વાતો કરતા હતા. તેમની વાતોમાઁ એક પ્રકારનો જોશ જુસ્સો દેખાતો હતો. તેઓ જાણે કોઈની સાથે ઉગ્ર વાર્તાલાપ કરી રહ્યા હોય તેવુઁ જણાતુઁ હતુઁ. મણીબેન લગભગ ૬૦ વર્ષના હતા. પરઁતુ તેઓ હોઁશિયાર, ચતુર, વ્યવહારુ અને માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ હતા. મને પ્રશ્ન થયો કે તેઓ કોની સાથે વાતો કરી રહ્યા છે? મનમાઁ અઁતર્ગત રીતે કોઈકની સાથે વાતો કરવી એ વાત શક્ય છે. પરઁતુ મણીબેનના કિસ્સામાઁ એવુઁ જણાતુઁ હતુઁ કે જાણે તેમણે પોતાની એક નવી શ્રુષ્ટિ નિર્માઁળ કરી હતી. તેમની વાતોમાઁ મુખના અને હાથના હાવભાવો એવી રીતે પ્રદર્શિત થતા હતા કે જાણે તેમની સામે કોઈ ઉભુ હોય, તેમની સાથે વાતો કરતુઁ હોય. પરઁતુ હકીકતમાઁ તેઓ ગેલેરી માઁ ઉભા હતા અને તેમની સામેઁ કોઈ ન હતુઁ. તે સમયે તેઓ આ દુનિયાની વાસ્તવિકતાથી અલગ થઈ ગયા હતા. ઈશ્વરી સાક્ષાત્કારમાઁ વ્યક્તિ ઈશ્વર સાથે એવી રીતે વાતો કરે છે કે જાણે ઈશ્વર તેમની સામેઁ જ હોય. બીજા માણસોને તે ઈશ્વર દેખાતા નથી હોતા. સાક્ષાત્કારી વ્યક્તિને મન ઈશ્વર તેમની સામે સાક્ષાત ઉભા હોય તેવુઁ લાગતુઁ હોય છે. સાક્ષાત્કારી વ્યક્તિના મુખપર લાગણીના હાવભાવો પણ જોવા મળતા હોય છે. સાક્ષાત્કારી વ્યક્તિના અનુભવ અને મણીબેનના અનુભવ વચ્ચે શુઁ ફરક છે?</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[વળગાળ]]></title>
<link>http://vaato.wordpress.com/2007/10/23/%e0%aa%b5%e0%aa%b3%e0%aa%97%e0%aa%be%e0%aa%b3/</link>
<pubDate>Tue, 23 Oct 2007 03:04:53 +0000</pubDate>
<dc:creator>vaato</dc:creator>
<guid>http://vaato.wordpress.com/2007/10/23/%e0%aa%b5%e0%aa%b3%e0%aa%97%e0%aa%be%e0%aa%b3/</guid>
<description><![CDATA[ભારતની સામાન્ય જનતાને માનસશાસ્ત્રીય ]]></description>
<content:encoded><![CDATA[<p>ભારતની સામાન્ય જનતાને માનસશાસ્ત્રીય રોગો વિશેનુઁ જ્ઞાન ઘણુઁજ ઓછુઁ છે. મોટા ભાગે તો માનસશાસ્ત્રીય રોગોનુઁ ભુત પ્રેત આધારીત જ અર્થઘટન કરવામાઁ આવે છે. ઓક્ટોબર ૧૨મી તારીખે રીલીઝ થયેલી ભુશન કુમાર નીર્મીત ફીલ્મ - ભુલ ભુલૈયા - મૂવિ માઁ વળગાળ વિશેની ગેરસમજણને દૂર કરવાની કોશીસ કરવામાઁ આવી છે. સિઝોફર્નિઆ અને Dissociative Identity Disorder જેવા રોગોપર આધારીત ફીલ્મો બનવાથી ભારતીય સમાજમાઁ માનસશાસ્ત્રીય રોગો વિશેની ગેરસમજણો ઓછી થવાનો શઁભવ છે.</p>
]]></content:encoded>
</item>

</channel>
</rss>
